Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

Previous | Next

Page 822
________________ પંચમદ્વાર-સારસંગ્રહ ૭૯૭ આઠની અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. દેવદ્ધિક, વિકલનિક અને સૂક્ષ્મત્રિક એ આઠના પર્યાપ્ત સંજ્ઞી મનુષ્ય-તિર્યંચો, મનુષ્યાનુપૂર્વીના ચારે ગતિના, મિશ્ર મોહનીયના ચારે ગતિના સમ્યગ્દષ્ટિ અને તીર્થંકર નામકર્મના તિર્યંચ વિના ત્રણ ગતિના સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંજ્ઞી-જીવો તેમજ આહારકસપ્તકના અપ્રમત્ત યતિ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે. દેવ-નરકાયુની તેત્રીસ સાગરોપમ અને મનુષ્ય-તિર્યંચાયુની ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. પણ ચારે આયુષ્યમાં અબાધાકાળ પૂર્વક્રોડ ત્રીજો ભાગ અધિક છે. વળી દેવાયુના મનુષ્યો અને શેષ ત્રણ આયુષ્યના પર્યાપ્ત સંજ્ઞી-મનુષ્ય-તિર્યંચો ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે. આ જઘન્ય સ્થિતિસત્તાનું પ્રમાણ તથા સ્વામી પોતપોતાના ક્ષયના અન્ય સમયે ઉદયવતી ચોત્રીસ પ્રવૃતિઓની એક સમય પ્રમાણ, ચરમસંક્રમસમયે હાસ્યષકની સંખ્યાત વર્ષ પ્રમાણ, પુરુષવેદની એક સમયહીન બે આવલિકા ન્યૂન આઠ વર્ષ પ્રમાણ, સંજવલનત્રિકની એક સમયહીન બે આવલિકા ન્યૂન અનુક્રમે બે માસ, એક માસ અને પંદર દિવસ પ્રમાણ અને શેષ એકસો ચૌદ પ્રકૃતિઓનો ક્ષય વખતે અનુદય હોવાથી પોતપોતાના ક્ષયના અન્ય સમયે સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમય અને સામાન્યથી કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ જઘન્ય સ્થિતિસત્તા હોય છે. પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાયના ક્ષીણમોહના ચરમસમયવર્તી, નિદ્રાદ્ધિકના ક્ષીણમોહના ઉપાજ્ય સમયવર્તી, મનુષ્ય વિના ત્રણ આયુષ્યના પોતપોતાના ભવના અન્ય સમયવર્તી, દર્શનત્રિક અને અનંતાનુબંધિ ચતુષ્ક–આ સાતના પોતપોતાની સ્વરૂપસત્તાના ક્ષયના અન્ય સમયવર્તી ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીના જીવો જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી છે. " પ્રત્યાખ્યાનીય વગેરે સંજવલન લોભ વિના અગિયાર કષાય, નવ નોકષાય, થીણદ્વિત્રિક, નરકદ્ધિક, તિર્યંચદ્વિકસ્થાવરદ્ધિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, આતપ, ઉદ્યોત અને સાધારણ નામકર્મ–આ છત્રીસ પ્રવૃતિઓના નવમા ગુણસ્થાનકવર્તી પોતપોતાની સ્વરૂપ સત્તાના ક્ષયના અન્ય સમયવર્તી પક, સંજવલન લોભના સૂક્ષ્મ સંપરામના ચરમસમયવર્તી ક્ષપક, મનુષ્યાય, મનુષ્યગતિ, બે વેદનીય, ઉચ્ચગોત્ર, ત્રસત્રિક, પંચેન્દ્રિય જાતિ, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ તથા તીર્થકર નામકર્મ આ તેરના અયોગી ગુણસ્થાનકના ચરમસમયવર્તી અને શેષ (૮૨) બાશી પ્રકૃતિઓના અયોગી ગુણસ્થાનકના દ્વિચરમસમયવર્તી જીવો જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી છે. ટીકામાં મનુષ્યની જઘન્ય સ્થિતિસત્તા ચૌદમાના ચરમસમયે જ કહી, પરંતુ મરણ સંભવી શકે તેવા કોઈપણ ગુણસ્થાને ભવના ચરમસમયવર્તી મનુષ્ય જઘન્ય સ્થિતિસત્તાનો સ્વામી ઘટી શકે. તેમજ પહેલા ગુણસ્થાને અવસ્થાવિશેષમાં જે પ્રકૃતિઓની ઉદ્ધલના થાય છે તે–સમ્યક્ત મોહનીય, મિશ્રમોહનીય, મનુષ્યદ્ધિક, ઉચ્ચગોત્ર, વૈક્રિય સપ્તક, દેવદ્ધિક અને નરકદ્વિક–આ સોળ પ્રકૃતિઓની એકેન્દ્રિયાદિ જીવો અને આહારકસપ્તકની અવિરતિપણામાં ઉકલના થતી

Loading...

Page Navigation
1 ... 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858