Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદાર-પ્રશ્નોત્તરી
અથવા ચારે આયુષ્યના જઘન્ય પ્રદેશબંધ આદિ ચાર ભેદો શી રીતે ઘટી શકે ?
ઉત્તર—આયુષ્યકર્મને કોઈપણ મૂળકર્મ કે સ્વજાતીય ઉત્તરપ્રકૃતિઓના ભાગ મળતા નથી, પરંતુ આયુષ્યબંધ વખતે જીવની ભૂમિકાને અનુસારે યોગ અલ્પ કે વધુ હોય છે અને એ યોગના અનુસારે કર્મદલિક ગ્રહણ થાય છે. એથી જઘન્યયોગે આયુષ્ય બાંધે ત્યારે જઘન્ય પ્રદેશબંધ અને ઉત્કૃષ્ટયોગે આયુષ્ય બાંધે ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. વળી તદનુસાર અજઘન્ય અને અનુષ્કૃષ્ટ પ્રદેશબંધ પણ ઘટી શકે છે.
૮૨૫
પ્રશ્ન—૫૮. મૂળ આઠ કર્મમાંથી કયા કર્મનો સાઘાદિ ચારે પ્રકારે ઉદય હોય ? અને તે કઈ રીતે ?
ઉત્તર—મોહનીયકર્મનો સાઘાદિ ચારે પ્રકારે ઉદય હોય છે તે આ રીતે ઉપશાંતમોહગુણસ્થાનકથી પડતાં મોહનીયનો પુનઃ ઉદય થાય ત્યારે સાદિ, દશમા ગુણસ્થાનકથી આગળ નહિ ગયેલાને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ.
પ્રશ્ન—૫૯. મતિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ તથા જઘન્યસ્થિતિ ઉદય કેટલો હોય ? અને તે કઈ રીતે ?
ઉત્તર—મતિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિઉદય બે આવલિકા ન્યૂન એક સમય અધિક ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. તે આ રીતે—જીવ ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે, ત્યારબાદ બંધાવલિકા વ્યતીત થતાં જ પ્રથમ ઉદયસ્થિતિસ્થાનમાં વર્તતા તે જીવને ઉદયાવલિકા ઉપરની બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિની ઉદીરણા થાય છે, અને તે ઉદીરણાથી કરાયેલ દલિક નિક્ષેપ ભોગવાતા પ્રથમ ઉદયસ્થિતિસ્થાનમાં પણ થાય છે. તેથી એક ઉદય સમય અધિક બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય હોય છે.
જઘન્ય સ્થિતિ ઉદય એક સમય પ્રમાણ છે, અને તે બારમા ગુણસ્થાનકના ચરમસમયે જ થાય છે.
પ્રશ્ન—૬૦. ક્ષપિતકર્માંશ અને ગુણિતકર્માંશ આત્મા કોને કહેવાય ?
ઉત્તર—જે આત્માને ઓછામાં ઓછા કર્મપ્રદેશોની સત્તા હોય તે ક્ષપિતકર્માંશ અને જે આત્માને વધારેમાં વધારે કર્મપ્રદેશોની સત્તા હોય તે ગુણિતકર્માંશ આત્મા કહેવાય છે. પ્રશ્ન—૬૧. લઘુક્ષપક એટલે શું ? તેમજ પ્રાયઃ ઉત્કૃષ્ટ પ્રદેશોદય તેને જ કહેવાનું કારણ શું ?
ઉત્તર—લઘુ—જલદી, ક્ષપક=કર્મનો ક્ષય કરનાર, અર્થાત્ આઠ વર્ષની વયે સર્વવિરતિનો સ્વીકાર કરી અંતર્મુહૂર્તમાં જ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામે તે લઘુક્ષપક કહેવાય છે, તેમજ સંયમપ્રાપ્તિ પહેલાં નિર્જરા અલ્પ હોવાથી અને બંધ વધુ હોવાથી સત્તામાં પ્રદેશો ઘણા હોય છે. વળી અંતર્મુહૂર્તમાં જ તેઓનો ગુણશ્રેણિકૃત ઉદય દ્વારા ક્ષય ક૨વાનો હોવાથી તે આત્માને ઘણા પ્રદેશોનો ઉદય થાય છે. વળી તેને જ ઉત્કૃષ્ટ પ્રદેશોદય કહેલ છે.
પંચ-૧૦૪