Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

Previous | Next

Page 747
________________ ૭૨૨ પંચસંગ્રહ-૧ પ્રદેશસત્કર્મસ્થાન થાય. એ સઘળાં પ્રદેશસત્કર્મસ્થાનોના સમૂહરૂપ એક સ્પર્ધક સંજ્વલન લોભ અને યશકીર્તિ એ બે પ્રકૃતિમાં ઉપશમશ્રેણિ નહિ કરનારને થાય છે. પહેલા યશકીર્તિના અયોગી ગુણઠાણાના એક અધિક સમય પ્રમાણ સ્પર્ધકો કહ્યા છે. તેમાં આ રીતે એક સ્પદ્ધક અધિક થાય છે. અહીં ત્રસના ભવોમાં શ્રેણિ કર્યા સિવાય એમ કહ્યું છે. કારણ કે ઉપશમશ્રેણિ કરે તો અન્ય પ્રકૃતિઓનાં ઘણાં દલિકો ગુણસંક્રમ વડે ઉક્ત બે પ્રકૃતિઓમાં સંક્રમે અને તેથી જઘન્ય પ્રદેશસત્કર્મ ન ઘટે માટે શ્રેણિ નહિ કરનારને થાય, એમ કહ્યું છે. ૧૭૯ ઉદ્ધલન યોગ્ય પ્રકૃતિઓના સ્પર્ધકો કહે છે– अणुदयतुलं उव्वलणिगाण जाणिज्ज दीहउव्वलणे । अनुदयतुल्यं उद्धलनानां जानीहि दीर्घोदलने । અર્થ–ઉધલનયોગ્ય પ્રકૃતિઓના સ્પદ્ધકો તેઓની ચિરોકલના કરતાં અનુદયવતી પ્રકૃતિઓની તુલ્ય જાણ. ટીકાનુ–ઉઠ્ઠલનયોગ્ય ત્રેવીસ પ્રકૃતિઓની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ વડે ઉદ્ધલના કરતાં તેઓનાં સ્પર્ધકો અનુદયવતી પ્રવૃતિઓની તુલ્ય તું જાણ. એટલે કે જે પહેલા અનુદયવતી પ્રવૃતિઓના આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધકો કહ્યા છે તેમ ઉઠ્ઠલનયોગ્ય પ્રકૃતિઓના પણ સમજવા. તેમાં સમ્યક્ત મોહનીયના સ્પદ્ધકો આશ્રયી ભાવના કરે છે–અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય ૧. સંજવલન લોભનું એક અદ્ધક કહ્યું છે. પરંતુ જેમ બારમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય ત્યારે સર્વાપવર્તના વડે અપવર્તીને સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ જ્ઞાનાવરણાદિની રાખે છે અને તેથી તેઓના એક અધિક સંખ્યાતમા ભાગ પ્રમાણ પદ્ધકો થાય છે તેમ દશમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે લોભની સ્થિતિને સર્વોપવર્તના વડે અપવર્તી તેને દશમા ગુણસ્થાનકના ના ભાગ પ્રમાણ રાખે છે ત્યારે તેમાં સ્થિતિઘાતાદિ પ્રવર્તતા નથી તેથી જ્ઞાનાવરણાદિની જેમ લોભના એક અધિક દશમા ગુણસ્થાનકના સંખ્યામાં ભાગ પ્રમાણ રૂદ્ધકો ઉપરોક્ત એક રૂદ્ધકથી અધિક થવા જોઈએ એમ ગાથા ૧૭૯મીના અવતરણમાં સંજ્વલન લોભ અને યશકીર્તિનું અન્યથા બીજી રીતે પણ એક પદ્ધક થાય છે એમ કહ્યું છે તે ઉપરથી લાગે છે. જો કે આગળપાછળ ટીકામાં ક્યાંય કહ્યું નથી. પુરષદના બે અદ્ધકો કહ્યા છે પરંતુ તે ઉપરાંત બંધ ઉદય વિચ્છેદ થયા પછી જે બે સમય ન્યૂન આવલિકા પ્રમાણ બંધાયેલું દલિક રહે છે તેના બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ સ્પદ્ધકો સંજ્વલન ક્રોધની જેમ થાય છે એટલે તેટલા અધિક લેવાના છે. આ હકીકત કર્મપ્રકૃતિમાં અને આ જ કારની છેલ્લી ગાથામાં કહી છે. હાસ્યષકનું એક જ સ્પર્ધ્વક કહ્યું છે. તેનું કારણ એમ જણાય છે કે તેઓની પ્રથમ અને દ્વિતીય સ્થિતિ સાથે જ જતી હોવી જોઈએ. આ રીતે જેમ હાસ્યષકનું એક સ્પર્ધક થાય છે તેમ પુરુષવેદને ઉદયે શ્રેણિ આરંભનારને સ્ત્રી કે નપુંસકવેદનું પણ એક રૂદ્ધક થતું હોવું જોઈએ અને સ્ત્રી કે નપુંસકવેદના ઉદયે શ્રેણિ આરંભનારને નપુંસકવેદની જેમ પુરુષવેદનું પણ એક સ્પર્ધક થતું હોવું જોઈએ. અન્ય વેદના ઉદય શ્રેણિ આરંભનારને અન્ય વેદનું આવું રૂદ્ધક થતું હોવું જોઈએ. પછી બહુશ્રુત જાણે.

Loading...

Page Navigation
1 ... 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858