Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૫૨
પંચસંગ્રહ-૧ પંચમ કર્મગ્રંથ આદિના મતે તથા કર્મપ્રકૃતિના મતે એકેન્દ્રિયો જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે તેથી પચીસ, પચાસ, સો અને હજાર ગુણો અનુક્રમે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી-પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે અને પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન કરતાં જેટલું રહે તેટલો બેઇન્ડિયાદિ જઘન્ય સ્થિતિબંધ કરે છે.
જયારે પ્રજ્ઞાપના સૂત્રના મતે પંચમ કર્મગ્રંથાદિના મતે બતાવેલ બેઇન્દ્રિયાદિના પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરતાં જેટલો રહે તેટલો બેઇન્દ્રિયાદિનો જઘન્ય સ્થિતિબંધ છે.
અસંશી-પંચેન્દ્રિયો ઉપર જણાવેલ એકસો સાત પ્રકૃતિઓ ઉપરાંત વૈક્રિયષક પણ બાંધે છે અને તેનો પ્રથમ બતાવેલ જઘન્ય સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી યુક્ત કરતાં તેમજ શતક ટિપ્પણના મતે પલ્યોપમનો સંખ્યાતમો ભાગ અધિક કરતાં જેટલો થાય તેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે.
સંસી-પંચેન્દ્રિયો પાંત્રીસ પ્રવૃતિઓમાંથી વૈક્રિયષટ્રક સિવાય શેષ ઓગણત્રીસ પ્રકૃતિઓનો પ્રથમ બતાવ્યો તે પ્રમાણે અને વૈક્રિયષર્ક તથા શેષ પંચાશી પ્રકૃતિઓનો અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટથી તે તે પ્રકૃતિઓનો પ્રથમ જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે તેટલો કરે છે. જઘન્ય સ્થિતિબંધમાં અબાધાકાળ સર્વત્ર અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
(૩) નિષેક વિચાર જે સમયે કર્મ બંધાય છે તે જ સમયે તેના અબાધાકાળના સમયો છોડી પછીના સમયમાં દલિકની રચના થાય છે. એ વાત પ્રથમ સમજાવેલ છે. અહીં તે દલિક રચનાનો (૧) અનંતરોપનિધા અને પરંપરોપનિધા એમ બે પ્રકારે વિચાર કરેલ છે. .
(૧) પૂર્વપૂર્વના સમયની અપેક્ષાએ અનંતર પછી-પછીના સમયમાં કેટલી દલિક રચના કરે છે? એમ વિચારવું તે અનંતરોપનિધા.
(૨) પહેલા સ્થાનની અપેક્ષાએ કેટલાં સ્થાનો પછી દલિકરચના અર્ધી અર્ધી થાય છે એમ વિચારવું તે પરંપરોપનિધા.
ત્યાં અનંતરોપનિધાથી વિચાર કરતાં અબાધાકાળ પછીના પ્રથમ સમયમાં સર્વથી વધારે અને તેની પછીના સમયથી તે સમયે બંધાયેલ સ્થિતિના ચરમસમય સુધી અનુક્રમે પછી પછીના સમયમાં વિશેષહીન-વિશેષહીન દલિકરચના થાય છે.
પરંપરોપનિધાથી વિચારતાં અબાધાકાળ પછીના પહેલા સમયમાં જે દલિતરચના થાય છે તેની અપેક્ષાએ ત્યાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમયો ઓળંગી પછીના સમયમાં અર્ધ દલિકની રચના થાય છે અને તેની અપેક્ષાએ ત્યાંથી પુનઃ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમયો ઓળંગી પછીના સમયમાં અર્ધ દલિકની રચના થાય છે. એમ જ્યાં અધ હાનિ થાય છે