Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૮૨
પંચસંગ્રહ-૧ પ્રકારે છે.
શેષ એકસો દશ અધ્રુવોદયી પ્રકૃતિઓ પોતે જ અધ્રુવોદયી હોવાથી નિયતકાલ ભાવી તેઓના જઘન્યાદિ ચારે પ્રદેશોદય સાદિ અધ્રુવ છે.
સ્વામિત્વ દ્વાર ઉત્કૃષ્ટ પ્રદેશોદય અને જઘન્ય પ્રદેશોદયના ભેદથી સ્વામિત્વ બે પ્રકારે છે. ત્યાં પ્રાયઃ સર્વ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ગુણશ્રેણિઓના શિરભાગે વર્તતાં હોય છે. તેથી ગુણશ્રેણિઓ કેટલી અને કઈ કઈ છે તે બતાવે છે.
વિશુદ્ધિના વશથી અપવર્તનાકરણ દ્વારા ઉપરનાં સ્થિતિસ્થાનોમાંથી ઉતારેલ દલિકોને જલદી ક્ષય કરવા માટે તે કાળે જે પ્રકૃતિઓનો વિપાકોદય હોય તે પ્રકૃતિઓના ઉદય સમયથી અને અન્ય પ્રકૃતિઓના ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી અંત સુધીમાં સ્થિતિસ્થાનોમાં અસંખ્ય ગુણાકારે ગોઠવવાં તે ગુણશ્રેણિ કહેવાય છે.
તે ગુણશ્રેણિઓ અગિયાર છે.
(૧) સમ્યક્ત પ્રાપ્ત કરતી વખતે અને પ્રાપ્ત થયા પછી પણ અંતર્મુહૂર્ત કાળ સુધી પ્રવર્ધમાન વિશુદ્ધ અધ્યવસાયથી જે ગુણશ્રેણિ કરે તે સમ્યક્ત ગુણશ્રેણિ.
(૨-૩) દેશવિરતિ પ્રાપ્ત કર્યા પછી અને સર્વવિરતિ પ્રાપ્ત કર્યા પછી અંતર્મુહૂર્ત કાળ સુધી પ્રવર્ધમાન વિશુદ્ધ અધ્યવસાયથી જે ગુણશ્રેણિ કરે છે તે દેશવિરતિને બીજી (દેશવિરતિ) અને સર્વવિરતિને ત્રીજી (સર્વવિરતિ) ગુણશ્રેણિ.
(૪) સાતમાં ગુણસ્થાને અનંતાનુબંધિનો ક્ષય કરતી વખતે જે ગુણશ્રેણિ તે અનંતાનુબંધી વિસંયોજક ગુણશ્રેણિ.
(૫) દર્શનત્રિકના ક્ષય કાળે એટલે કે ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરતાં દર્શનત્રિકના ક્ષય સંબંધી જે ગુણશ્રેણિ તે પાંચમી ગુણશ્રેણિ.
અનંતાનુબંધી અને દર્શનત્રિકનો ક્ષય ચોથાથી સાતમા ગુણસ્થાનકવર્તી કોઈપણ આત્માઓ કરે છે ત્યાં છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવોને અલ્પવિશુદ્ધિ હોવાથી સર્વ વિરતિ-ગુણશ્રેણિથી અલ્પ દલિકોની ગુણશ્રેણિ હોય છે. તેથી સાતમા ગુણસ્થાને દર્શનત્રિકનો ક્ષય કરનાર આશ્રયીને જ આ બને ગુણશ્રેણિઓ કહી છે.
(૬) ચારિત્ર મોહનીયનો ઉપશમ કરતી વખતે નવમા-દશમાં ગુણસ્થાને જે ગુણશ્રેણિ તે છઠ્ઠી મોહોપશમક ગુણશ્રેણિ.
(૭) ઉપશાંતમોગુણસ્થાને જે ગુણશ્રેણિ થાય છે તે ઉપશાંતમોહગુણશ્રેણિ.
(૮) ચારિત્ર મોહનીયનો ક્ષય કરતાં નવમા દશમા ગુણસ્થાને જે ગુણશ્રેણિ થાય છે તે મોહક્ષપક ગુણશ્રેણિ.
(૯-૧૦-૧૧) ક્ષીણમોહ અને સયોગી ગુણસ્થાને જે ગુણશ્રેણિ થાય છે તે અનુક્રમે નવમી