Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 806
________________ પંચમદ્વાર-સારસંગ્રહ ૭૮૧ મિથ્યાત્વ મોહનીયનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ પ્રદેશોદય બે પ્રકારે અને અનુત્કૃષ્ટ તથા અજઘન્ય પ્રદેશોદય ચાર-ચાર પ્રકારે હોવાથી કુલ બાર, શેષ સુડતાળીસ ધ્રુવોદયી પ્રકૃતિઓના જઘન્ય તથા ઉત્કૃષ્ટ બે પ્રકારે, અજઘન્ય ચાર પ્રકારે અને અનુત્કૃષ્ટ પ્રદેશોદય સાદિ વિના ત્રણ પ્રકારે હોવાથી એકેકના અગિયાર-અગિયાર, તેમજ શેષ એકસો દશ અધુવોદયી પ્રકૃતિના જઘન્યાદિ ચારે પ્રદેશોદય નિયતકાળે જ થતા હોવાથી સાદિ-અપ્રુવ એમ બે-બે પ્રકારે છે. તેથી એકેક પ્રકૃતિના આઠ-આઠ એમ પ્રદેશોદય આશ્રયી એકસો અઠ્ઠાવન પ્રકૃતિઓના કુલ ચૌદસો નવ ભાંગા થાય છે. ક્ષપિતકર્માદ અનાદિ મિથ્યાદષ્ટિ ત્રણ કરણપૂર્વક અંતરકરણની ક્રિયા કરી ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરે, ત્યારબાદ અંતરકરણમાં રહેલ તે જ આત્માને મિથ્યાત્વે જતાં પહેલાં અંતરકરણની ચરમાવલિકામાં ગોપુચ્છાકારે દલિટરચના થતી હોવાથી તે આવલિકાના ચરમસમયે મિથ્યાત્વનો જઘન્ય પ્રદેશોદય થાય છે. તે એક જ સમય થતો હોવાથી સાદિ-અધ્રુવ છે. તે સિવાયનો સઘળો પ્રદેશોદય અજઘન્ય છે. તે જઘન્ય પ્રદેશોદયના બીજા સમયે અથવા ક્ષયોપશમ સમ્યક્તથી પડતાં નવીન થાય છે માટે સાદિ, ઉદય-વિચ્છેદને નહિ પામેલાને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અદ્ભવ એમ ચાર પ્રકારે છે. ગુણિતકર્માશ આત્મા પ્રથમ દેશવિરતિ પ્રાપ્ત કરી તે નિમિત્તે ગુણશ્રેણિ કરે અને તે ગુણશ્રેણિમાં વર્તવા છતાં સર્વવિરતિ પ્રાપ્ત કરી સર્વવિરતિની ગુણશ્રેણી પણ એવી રીતે કરે છે, તે બને ગુણશ્રેણિઓનો મસ્તકરૂપ અન્યભાગ એક સાથે જ પ્રાપ્ત થાય. અને તે જ સમયે મિથ્યાત્વ પામે તો તે વખતે ઉપરોક્ત બન્ને ગુણશ્રેણિના મસ્તકે વર્તતા આત્માને મિથ્યાત્વનો એક સમય ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. તે એક જ સમય થતો હોવાથી સાદિ-અધ્રુવ છે. તે સિવાયનો સઘળો અનુત્કૃષ્ટ પ્રદેશોદય છે. ઉત્કૃષ્ટ પ્રદેશોદયથી અથવા સમ્યક્તથી પડતાને તેનો આરંભ થાય છે માટે સાદિ, ઉદયવિચ્છેદને નહિ પામેલાને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ–એમ. તે ચાર પ્રકારે છે. શેષ સુડતાળીસ ધ્રુવોદયી પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય બે પ્રકારે અને અજઘન્ય પ્રદેશોદય ચાર પ્રકારે છે. તે મૂળ છ કર્મનો એકેન્દ્રિયો આશ્રયી જે પ્રમાણે બતાવેલ છે તે જ પ્રમાણે છે, પરંતુ અવધિજ્ઞાનાવરણ તથા અવધિદર્શનાવરણનો દેવભવમાં જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તેની બંધાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. કારણ કે, અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતાં ઘણાં પુગલોનો ક્ષય થઈ જાય છે. તેથી પછી ઉદયમાં અલ્પ આવે અને નવીન બંધાયેલ દલિકો ઉદીરણા દ્વારા ઉદયમાં ન આવે માટે બંધાવલિકાનો ચરમસમય કહેલ છે. | ગુણિતકર્માશ જીવને ક્ષીણમોહના ચરમસમયે પાંચ જ્ઞાનાવરણ, પાંચ અંતરાય અને ચાર દર્શનાવરણ એ ચૌદનો અને સયોગીના ચરમસમયે નામકર્મની શેષ તેત્રીસ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. તે એક જ સમય થતો હોવાથી સાદિ–અદ્ભવ છે. તે સિવાયનો સઘળો પ્રદેશોદય અનુત્કૃષ્ટ છે. આ સર્વ પ્રકૃતિઓનો ઉદય-વિચ્છેદ થયા પછી પુનઃ ઉદય થતો ન હોવાથી અનુત્કૃષ્ટ પ્રદેશોદયની સાદિ થતી નથી. તેથી ઉત્કૃષ્ટ પ્રદેશોદય અથવા ઉદયવિચ્છેદસ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અપ્રુવ એમ તે ત્રણ

Loading...

Page Navigation
1 ... 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858