Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 818
________________ પંચમઢાર-સારસંગ્રહ ૭૯૩ સ્થિતિઘાતો થાય ત્યાં સુધી નપુંસકવેદ અને સ્ત્રીવેદની સત્તા હોય છે. પછી બન્નેની સત્તા હોતી નથી. નપુંસક તથા સ્ત્રીવેદે શ્રેણિ માંડનારને સ્ત્રીવેદનો ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિઘાતો વ્યતીત થાય ત્યાં સુધી હાસ્યષક અને પુરુષવેદની અને પુરુષવેદે શ્રેણિ માંડનારને સ્ત્રીવેદનો ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિઘાતો વ્યતીત થાય ત્યાં સુધી હાસ્યષર્કની અને ત્યારબાદ સમયન્યૂન બે આવલિકાકાળ સુધી પુરુષવેદની સત્તા હોય છે, પછી હોતી નથી. પુરુષવેદનો ક્ષય થયા પછી સંખ્યાતા સંખ્યાતા સ્થિતિઘાતો વ્યતીત થાય ત્યાં સુધી અનુક્રમે સંજવલન ક્રોધની, માનની, માયાની તેમજ સૂક્ષ્મ સંપરામના ચરમસમય સુધી સંજવલન લોભની સત્તા હોય છે, પછી હોતી નથી. આઠ કષાય વગેરે આ સાડત્રીસે પ્રકૃતિઓની ઉપશમશ્રેણિમાં અગિયારમા ગુણસ્થાનક સુધી સત્તા હોય છે. સાતમ-આઠમે ગુણસ્થાને આહારકસપ્તકનો બંધ કરી જો જીવ આગળ જાય તો તેને ચૌદમા ગુણસ્થાનકના દ્વિચરમસમય સુધી અને જો નીચેના ગુણસ્થાનકે જાય અને ઉદ્દલના દ્વારા ક્ષય ન કરે તો યાવત્ પ્રથમ ગુણસ્થાનક સુધી તેને આહારક સપ્તક સત્તામાં હોય છે. શેષ જીવોને સત્તામાં હોતું નથી. - કોઈ જીવ તથા પ્રકારના સમ્પર્વ નિમિત્તથી જિનનામનો બંધ કરી ઉપર જાય તો તેને ચૌદમા ગુણસ્થાનકના ચરમસમય સુધી અને જો પહેલે ગુણસ્થાને આવે તો ત્યાં પણ અંતર્મુહૂર્ત સુધી તેને જિનનામની સત્તા હોય છે. પરંતુ જિનનામનો બંધ ન કરેલ જીવોને કોઈપણ ગુણસ્થાને જિનનામની સત્તા હોતી નથી. જિનનામ અને આહારકસપ્તકની એકીસાથે સત્તા હોય એવો જીવ મિથ્યાત્વે તથા નરકમાં જતો નથી. અન્યતર વેદનીય, ઉચ્ચગોત્ર, મનુષ્યગતિ, ત્રસત્રિક, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ તથા પંચેન્દ્રિય જાતિ. આ દશની અયોગીના ચરમસમય સુધી, દેવદ્ધિક, મનુષ્યાનુપૂર્વી વૈક્રિયસપ્તક, ઔદારિકસપ્તક, તૈજસ-કાશ્મણ સપ્તક, છ સંઘયણ, છ સંસ્થાન, વર્ણાદિ વીસ, બે વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, પ્રત્યેકત્રિક, અપર્યાપ્ત, અસ્થિરષક, સુસ્વર, નીચગોત્ર, અન્યતર વેદનીય આ છોત્તેર પ્રકૃતિઓની અયોગીના દ્વિચરમસમય સુધી સ્વરૂપે સત્તા હોય છે, પછી હોતી નથી. સ્થિતિસત્તા સ્થિતિસત્તાના વિષયમાં સાઘાદિ, સ્વામિત્વ અને સત્તાગત સ્થિતિસ્થાનો એ ત્રણ અનુયોગદ્વાર છે. ત્યાં મૂળપ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિ વિષયક એમ સાઘાદિ પ્રરૂપણા બે પ્રકારે છે. આઠે મૂળકર્મની અજઘન્ય સ્થિતિસત્તા સાદિ વિના શેષ ત્રણ પ્રકારે અને જઘન્ય, ઉત્કૃષ્ટ પંચ૦૧-૧૦૦

Loading...

Page Navigation
1 ... 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858