Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદાર
૬૭૩
* उवसंतो कालगओ सव्वटे जाइ भगवइ सिद्धं ।
तत्थ न एयाणुदओ असुभुदए होइ मिच्छस्स ॥१२५॥ उपशान्तः कालगतः सर्वार्थे याति भगवत्यां सिद्धम् ।
तत्र नैतासामुदयः अशुभस्य उदये भवति मिथ्यात्वस्य ॥१२५॥
અર્થકાળધર્મ પામેલો ઉપશાંત કષાય આત્મા સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં જાય એમ ભગવતીસૂત્રમાં કહ્યું છે. ત્યાં નપુંસકવેદાદિ આઠનો ઉદય હોતો નથી. તથા અશુભ મરણ વડે મરનાર કે નહિ મરનારને મિથ્યાત્વનો જઘન્ય પ્રદેશોદય થાય છે.
ટીકાનુ–જેણે મોહનો સર્વથા ઉપશમ કર્યો છે તે ઉપશાંતમોહ ગુણસ્થાનકવર્તી આત્મા અથવા ઉપશમ ક્રિયા કરનાર ઉપશમશ્રેણિમાં વર્તતો કોઈ આત્મા કાળધર્મ પામે તો સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થાય એમ ભગવતીસૂત્રમાં સ્પષ્ટપણે કહ્યું છે, એમાં કોઈ વિસંવાદ નથી.
તે સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં નપુંસકવેદ, સ્ત્રીવેદ, અરતિ, શોક મોહનીય અને અનંતાનુબંધી ચતુષ્ક એ આઠ પ્રકૃતિઓનો ઉદય હોતો નથી માટે ત્યાં તેના જઘન્ય પ્રદેશોદયનો નિષેધ કર્યો છે અને દર્શનત્રિક સિવાયની શેષ પ્રકૃતિઓનો ઉદય હોવાથી ત્યાં તે પ્રકૃતિઓનો
જઘન્ય પ્રદેશોદય કહ્યો છે. - મિથ્યાત્વનો જઘન્ય પ્રદેશોદય અશુભ મરણ વડે મરણ પ્રાપ્ત કરે અથવા મરણ પ્રાપ્ત ન કરે તો પણ પૂર્વની ગાથામાં કહ્યું તે પ્રમાણે ઉદયાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશોદય થાય છે.
એ પ્રમાણે સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયનો પણ મરણ પામે કે ન પામે પરંતુ ઉદયાવલિકાના ચરમસમયે વતાં જઘન્ય પ્રદેશોદય થાય છે. ૧૨૫
उवसामइत्तु चउहा अन्तमुह बंधिऊण बहुकालं । पालिय सम्म पढमाण आवलिअंत मिच्छगए ॥१२६॥ उपशमय्य चतुर्दाऽन्तर्मुहूर्तं बद्ध्वा बहुकालम् ।
पालयित्वा सम्यक्त्वं प्रथमानामावलिकान्ते मिथ्यात्वं गतः ॥१२६॥
અર્થ–ચાર વાર મોહનો ઉપશમ કરીને અને ત્યારબાદ મિથ્યાત્વે જઈ અંતર્મુહૂર્ત પર્યંત અનંતાનુબંધીને બાંધી ત્યારપછી બહુકાળ પર્યત સમ્યક્તનું પાલન કરી મિથ્યાત્વે જાય ત્યાં અનંતાનુબંધી બાંધે તેનો બંધાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશોદય થાય છે.
૧. અહીં એટલું સમજવાનું કે અંતરકરણનો સમધિક આવલિકા કાળ બાકી રહે ત્યારે ત્રણે પુંજનાં દલિકોને અંતરકરણની છેલ્લી આવલિકામાં ગોપુચ્છાકારે ગોઠવે છે તેમાં મિથ્યાત્વનો ઉદય થાય અને મરણ પામે તો ભવાંતરમાં અને ન મરણ પામે તો તે જ ભવમાં આવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશોદય થાય છે, પરંતુ મિશ્રમોહનીયનો ઉદય થવાથી મિશ્રગુણઠાણે આવેલો આત્મા જયાં સુધી તે ગુણઠાણું હોય ત્યાં સુધી મરતો નથી માટે તેનો જઘન્ય પ્રદેશોદય જે ગતિમાં ઉપશમ સમ્યક્તથી પડીને મિશ્ર આવે ત્યાં જ થાય. સમ્યક્ત મોહનીયનો તે ગતિમાં અગર દેવલોકમાં પણ જઘન્ય પ્રદેશોદય થઈ શકે છે. • પંચ ૧૯૮૫