Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
ગુણિતકર્માંશ નારકી પ્રાયઃ સઘળી કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી સમજવો. માત્ર સાતમી નરકપૃથ્વીમાંથી નીકળેલા તે જ ગુણિતકર્માંશ આત્માને કેટલીએક પ્રકૃતિઓના સંબંધમાં વિશેષ પણ છે. હવે પછી જે વિશેષ છે તે હું કહીશ. ૧૫૬
જે વિશેષ છે તે કહેવાની હવે શરૂઆત કરતાં કહે છે— मिच्छमीसेहिं कमसो संपक्खित्तेहिं मीससम्मेसु । वरिसवरस्स उ ईसाणगस्स चरिमम्मि समयम्मि ॥ १५७ ॥ मिथ्यात्वमिश्राभ्यां क्रमशः संप्रक्षिप्ताभ्यां मिश्रसम्यक्त्वयोः । वर्षवरस्य तु ईशानगस्य चरमे समये ॥१५७॥
અર્થ—મિથ્યાત્વ અને મિશ્રમોહનીયને નાંખવા વડે અનુક્રમે મિશ્ર અને સમ્યક્ત્વમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. ઈશાન દેવલોકમાં ગયેલાને ચરમસમયે નપુંસકવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે.
૭૦૨
ટીકાનુ—જેનું સ્વરૂપ પહેલાં કહેવાયું છે તે ગુણિતકર્માંશ કોઈ આત્મા સાતમી નરકપૃથ્વીમાંથી નીકળી તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યાં અંતર્મુહૂર્તમાત્ર રહી સંખ્યાત વર્ષના આયુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરી દર્શનમોહનીયની સાત પ્રકૃતિ ખપાવવાનો પ્રયત્ન કરે. સાત પ્રકૃતિનો ક્ષય કરવાનો પ્રયત્ન કરનાર તે આત્મા અનિવૃત્તિકરણનાં જે સમયે મિથ્યાત્વમોહનીયને મિશ્રમોહનીયમાં સર્વસંક્રમ વડે સંક્રમાવે તે સમયે મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
તે મિશ્રમોહનીયને જે સમયે સમ્યક્ત્વમોહનીયમાં સર્વસંક્રમ વડે સંક્રમાવે તે સમયે સમ્યક્ત્વમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (સાતમી નરકનો નારકી મનુષ્યમાં ઉત્પન્ન થતો નથી અને મનુષ્યમાં ઉત્પન્ન થયા સિવાય ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન થતું નથી માટે તિર્યંચમાં જઈ સંખ્યાતા વરસના આયુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થવા કહ્યું છે.)
તે જ ગુણિતકર્માંશ કોઈ નારકી તિર્યંચ થઈ ઈશાન દેવલોકમાં દેવ થાય, ત્યાં અતિસંક્લિષ્ટ પરિણામવાળો થઈને વારંવાર નપુંસકવેદ બાંધ્યા કરે, તે નપુંસકવેદની પોતાના ભવના અંત સમયે વર્ત્તતા તે ઈશાન દેવલોકના દેવને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
ઈશાન દેવલોનું ઉત્કૃષ્ટ બે સાગરોપમ પ્રમાણ આયુ હોય છે. વળી તેઓ અતિક્લિષ્ટ પરિણામે એકેન્દ્રિય યોગ્ય કર્મ બાંધે છે અને તે બાંધતાં નપુંસકવેદ બાંધે છે માટે તે દેવ તેની ઉત્કૃષ્ટ સત્તાનો અધિકારી થાય છે. ૧૫૭
ईसाणे पुरित्ता नपुंसगं तो असंखवासीसु । पल्लासंखियभागेण पुरए इत्थीवेयस्स ॥ १५८ ॥
ईशाने पूरयित्वा नपुंसकं ततोऽसंख्यवर्षायुष्केषु । पल्यासंख्येयभागेन पूरिते स्त्रीवेदस्य ॥ १५८ ॥