Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૬૦
પંચસંગ્રહ-૧
અંગુલનો અસંખ્યાતમો ભાગ મોટો નાનો લેવાનો હોવાથી ઉપરોક્ત અલ્પબદુત્વમાં વિરોધ નથી. એ જ પ્રમાણે હવે પછી પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાયથી પર્યાપ્ત બાદર અપ્લાય સુધીના દરેક જીવો પણ એક પ્રતરના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડો થાય તેટલા સામાન્યથી કહ્યા છે તોપણ અંગુલનો અસંખ્યાતમો ભાગ અનુક્રમે અસંખ્યાતગુણ નાનો-નાનો સમજવો, તેથી અસંખ્યગુણ અલ્પબદુત્વ કહેવામાં કોઈ દોષ નથી.
પર્યાપ્ત અપર્યાપ્ત બેઇન્દ્રિયથી પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય, તે થકી પર્યાપ્ત બાદર નિગોદો અર્થાત્ બાદર સાધારણ વનસ્પતિકાયનાં ઔદારિક શરીરો, તેથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, બાદર અપ્લાય, ઉત્તરોત્તર એક એકથી અસંખ્યાતગુણ છે. તે થકી પર્યાપ્ત બાદર વાયુકાય અને તે થકી અપર્યાપ્ત બાદર તેઉકાય અનુક્રમે અસંખ્યાત ગુણ છે.
અપર્યાપ્ત બાદર તેઉકાયથી અપર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય, તે થકી અપર્યાપ્ત બાદર નિગોદો, અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપ્લાય અને વાયુકાય અનુક્રમે એક-એકથી અસંખ્યગુણ છે, અપર્યાપ્ત બાદર વાયુકાયથી અપર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય અસંખ્યાતગુણ છે. તે થકી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય, અપ્લાય અને વાયુકાય ઉત્તરોત્તર વિશેષાધિક છે.
અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયથી પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય સંખ્યાતગુણ છે. તે થકી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય, અપ્લાય અને વાયુકાય અનુક્રમે એક-એકથી વિશેષાધિક છે. પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદો અર્થાત્ અપર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયનાં દારિક શરીરો અસંખ્યગુણ છે.
અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણ છે. '
અપર્યાપ્ત બાદર તેઉકાયથી પર્યાપ્ત સૂક્ષ્મનિગોદ સુધીના દરેક સામાન્યથી અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણે કહેલ છે તોપણ અસંખ્યના અસંખ્ય પ્રકારો હોવાથી ઉપર બતાવ્યા મુજબ અસંખ્યાતગુણ, વિશેષાધિક કે સંખ્યાતગુણ વગેરે રૂપ અલ્પબહુત કહેવામાં કોઈ દોષ નથી.
પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદોથી અભવ્યો, સમ્યક્તથી પતિત મિથ્યાત્વીઓ, સિદ્ધો અને પર્યાપ્ત બાદર વનસ્પતિકાય જીવો ઉત્તરોત્તર અનંતગુણ છે, તે થકી પર્યાપ્ત બાદર એકેન્દ્રિયો વિશેષાધિક છે. તેઓથી અપર્યાપ્ત બાદર વનસ્પતિકાય જીવો અસંખ્યગુણ છે. તે થકી સઘળા અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયો વિશેષાધિક છે.
અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયોથી અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિજીવો અસંખ્ય ગુણ છે, તે થકી અપર્યાપ્ત સર્વ સૂક્ષ્મ જીવો વિશેષાધિક, તેઓથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાય જીવો સંખ્યાતગુણ અને તે થકી પર્યાપ્ત સર્વ સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે.
જો કે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ જીવો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે, પરંતુ તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયજીવો અનંતગુણ હોવાથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાય કરતાં શેષ સૂક્ષ્મ જીવો અનંતમા ભાગ જેટલા જ છે તેથી તેના કરતાં પર્યાપ્ત સર્વ સૂક્ષ્મ જીવો વિશેષાધિક જ થાય છે.