Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ચતુર્થદ્વાર-સારસંગ્રહ
ભાંગા થાય. “
બેઇન્દ્રિય અપર્યાપ્તને પણ મિથ્યાત્વે સોળથી અઢાર બંધહેતુ હોય, પરંતુ અહીં યોગ ત્રણ હોવાથી યોગની જગ્યાએ ત્રણનો અંક મૂકી પૂર્વોક્ત રીતે ગુણાકાર કરવાથી ચારે સ્થળે અડતાળીસ-અડતાળીસ ભાંગા થવાથી કુલ મિથ્યાત્વે એકસો બાણું ભાંગા થાય, અને સાસ્વાદને મિથ્યાત્વ વિના પંદરથી સત્તર બંધહેતુ હોય પણ અહીં યોગ બે જ હોવાથી ચારે સ્થળે બત્રીસબત્રીસ ભાંગા થવાથી કુલ એકસો અઠ્યાવીસ ભાંગા થાય. એમ બેઇન્દ્રિય અપર્યાપ્તાના બન્ને ગુણસ્થાનકે મળી કુલ ત્રણસો વીસ ભાંગા થાય.
૪૭૧
બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને પહેલું જ ગુણસ્થાનક હોય છે. ત્યાં પૂર્વની જેમ સોળથી અઢાર બંધહેતુઓ હોય પરંતુ ઇન્દ્રિય એક હોવાથી ઇન્દ્રિયના અસંયમના સ્થાને એક અને ઔદારિક કાયયોગ તથા વૈક્રિયદ્વિક એમ ત્રણ યોગ હોવાથી યોગના સ્થાને ત્રણનો અંક મૂકી પ્રથમની જેમ ગુણાકાર કરવાથી ચારે સ્થળે ચોવીસ-ચોવીસ ભાંગા થાય, સર્વ મળી છનું ભાંગા થાય.
બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયને મિથ્યાત્વે પૂર્વની જેમ સોળથી અઢાર બંધહેતુ હોય છે. અહીં કાર્યણ તથા ઔદારિકદ્ધિક એ ત્રણ યોગ હોય છે, માટે પૂર્વની જેમ ગુણાકાર કરતાં ચારે સ્થાને ચોવીસ–ચોવીસ ભાંગા થતાં કુલ છનું ભાંગા થાય, બીજે ગુણસ્થાને પણ પંદરથી સત્તર બંધહેતુના ચારે વિકલ્પોમાં સોળ-સોળ ભાંગા થતા હોવાથી કુલ ચોસઠ ભાંગા થાય એમ બન્ને ગુણસ્થાને મળી બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયના એકસો સાઠ ભાંગા થાય છે.
સૂક્ષ્મ પર્યાપ્તને પણ પહેલું એક જ ગુણસ્થાનક હોય ત્યાં સોળથી અઢાર બંધહેતુના ચારે વિકલ્પમાં માત્ર ઔદારિક કાય રૂપ જ એક જ યોગ હોવાથી આઠ-આઠ એમ કુલ બત્રીસ ભાંગા
થાય.
સૂક્ષ્મ અપર્યાપ્તને પહેલું જ ગુણસ્થાનક હોય છે તેથી ત્યાં બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયના પહેલા ગુણસ્થાનકની જેમ જ બંધહેતુ અને તેના ભાંગા થાય છે.
પ્રકૃતિઓના બંધહેતુઓ
નરકત્રિક, એકેન્દ્રિયાદિ જાતિચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, હુંડક સંસ્થાન, છેવઠું સંઘયણ, આતપ, મિથ્યાત્વ અને નપુંસકવેદ આ સોળ પ્રકૃતિઓનો મિથ્યાત્વ સાથે અન્વય-વ્યતિરેક સંબંધ હોવાથી મુખ્ય બંધહેતુ મિથ્યાત્વ છે અને તે વખતે વર્તમાન શેષ અવિરતિ આદિ ત્રણ હેતુઓ ગૌણ છે એમ આગળ પણ સમજવું.
કારણની વિદ્યમાનતામાં કાર્યની વિદ્યમાનતા તે અન્વય અને કારણના અભાવમાં કાર્યનો અભાવ તે વ્યતિરેક કહેવાય છે.
તિર્યંચત્રિક, દૌર્ભાગ્યત્રિક, થીણદ્વિત્રિક, ચાર અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાનીય, પ્રથમનાં પાંચ સંઘયણ, મધ્યમનાં ચાર સંસ્થાન, સ્ત્રીવેદ, નીચગોત્ર, અશુભવિહાયોગતિ, ઉદ્યોત, મનુષ્યત્રિક અને ઔદારિકદ્ધિક આ પાંત્રીસ પ્રકૃતિઓનો અન્વય-વ્યતિરેક વડે અવિરતિ મુખ્ય હેતુ છે. સાતવેદનીય સિવાય શેષ અડસઠ પ્રકૃતિઓનો કષાય મુખ્ય હેતુ છે અને સાતાવેદનીયનો