Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૭૦
પંચસંગ્રહ-૧
દરેકના ત્રણસો સાઠ-ત્રણસો સાઠ ભાંગા થાય એમ પ્રથમ ગુણસ્થાનકે કુલ ચૌદસો ચાળીસ (૧૪૪૦) ભાંગા થાય.
સાસ્વાદન ગુણસ્થાનકે મિથ્યાત્વ વિના જઘન્યથી આ જ પંદર હેતુ હોય. પણ અહીં કાર્પણ અને ઔદારિકમિશ્ર એ બે જ યોગો હોય છે માટે યોગની જગ્યાએ બેની સંખ્યા મૂકી પૂર્વોક્ત રીતે પરસ્પર અંકોનો ગુણાકાર કરતાં બસો ચાળીસ ભાંગા થાય. તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરતાં બે રીતે સોળ અને બન્ને ઉમેરતાં સત્તર બંધહેતુ થાય. ત્રણે સ્થળે બસો ચાળીસબસો ચાળીસ ભાંગા થાય. કુલ મળી સાસ્વાદન ગુણસ્થાનકે નવસો સાઠ (૯૬૦) ભાંગા થાય અને બન્ને ગુણસ્થાનકે મળી અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તના કુલ ચોવીસો (૨૪૦૦) ભાંગા થાય.
ચરિન્દ્રય પર્યાપ્તને એક મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય, ત્યાં પૂર્વની જેમ જઘન્યથી સોળ. તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી બે રીતે સત્તર અને બન્ને ઉમેરવાથી અઢાર બંધહેતુ થાય. અહીં માત્ર નપુંસકવેદ જ હોય છે, ઈન્દ્રિયો ચાર હોય છે તેથી પૂર્વની જેમ અંકોનો ગુણાકાર કરતાં ચારે સ્થાને ચોસઠ-ચોસઠ ભાંગા થવાથી કુલ બસો છપ્પન ભાંગા થાય.
ચઉરિન્દ્રિય અપર્યાપ્તને પણ પ્રથમ ગુણસ્થાનકે આ પ્રમાણે જઘન્યથી સોળ બંધહેતુઓ હોય છે તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી બે રીતે સત્તર અને બન્ને ઉમેરવાથી અઢાર બંધહેતુઓ થાય છે. પરંતુ અહીં યોગ ત્રણ હોય છે. માટે યોગના અંકની જગ્યાએ ત્રણનો અંક મૂકી પૂર્વોક્ત રીતે અંકોનો ગુણાકાર કરતાં ચારે સ્થળે છ—-છનું ભાંગા થવાથી પ્રથમ ગુણસ્થાનકે કુલ ત્રણસો ચોરાશી ભાંગા થાય. સાસ્વાદન ગુણસ્થાનકે પણ જઘન્યથી મિથ્યાત્વ વિના તે જ પંદર બંધ હેતુઓ હોય, તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી બે રીતે સોળ અને બને ઉમેરવાથી સત્તર હેતુ થાય, પરંતુ અહીં કાર્પણ અને ઔદારિકમિશ્ર એ બે યોગો હોય છે. માટે યોગની જગ્યાએ બેનો અંક મૂકી પૂર્વ પ્રમાણે અંકોનો ગુણાકાર કરતાં ચારે સ્થાને ચોસઠચોસઠ ભાંગા થવાથી કુલ બસો છપ્પન ભાંગા થાય, બન્ને ગુણસ્થાનકે મળી ચઉરિન્દ્રિય અપર્યાપ્તના કુલ છસો ચાળીસ ભાંગા થાય છે.
તેઇન્દ્રિય પર્યાપ્તને પણ ચઉરિન્દ્રિય પર્યાપ્તની જેમ બંધહેતુઓ હોય છે, પરંતુ અહીં ઇન્દ્રિયો ત્રણ હોવાથી ઇન્દ્રિયોના સ્થાને ત્રણની સંખ્યા મૂકી પૂર્વોક્ત રીતે ગુણાકાર કરતાં ચારે સ્થાને અડતાળીસ-અડતાળીસ ભાંગા થતા હોવાથી કુલ એકસો બાણું ભાંગા થાય.
તે ઇન્દ્રિય અપર્યાપ્તને પણ પહેલા તથા બીજા ગુણસ્થાને ચઉરિન્દ્રિય અપર્યાપ્તની જેમ જ બંધહેતુ જાણવા, માત્ર અહીં ઇન્દ્રિયો ત્રણ હોવાથી ઇન્દ્રિયના અસંયમના સ્થાને ત્રણનો અંક મૂકી ગુણાકાર કરવાનો હોવાથી ભંગ સંખ્યા મિથ્યાત્વ ગુણસ્થાને ચારે સ્થાને બોત્તેર-બોત્તેર થતી હોવાથી કુલ બસો ઇશ્યાશી અને સાસ્વાદને ચારે સ્થાને અડતાળીસ-અડતાળીસ હોવાથી કુલ એકસો બાણું થાય છે. બન્ને ગુણસ્થાને મળી કુલ ચારસો એંશી ભાંગા થાય.
બેઇન્દ્રિય પર્યાપ્તને એક પહેલું જ ગુણસ્થાન હોય છે ત્યાં પણ પૂર્વની જેમ સોળથી અઢાર બંધહેતુઓ હોય છે. માત્ર અહીં ઇન્દ્રિયોના અસંયમના સ્થાને બેની સંખ્યા મૂકી પૂર્વોક્ત રીતે અંકોનો ગુણાકાર કરવાથી ચારે સ્થળે બત્રીસ-બત્રીસ ભાંગા થવાથી કુલ એકસો અઠ્યાવીસ