Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
૫૧૮
તેઓને ભિન્ન ભિન્ન ગતિમાં રહેલા મિથ્યાર્દષ્ટિ જીવો આશ્રયી જેને સપ્તતિકા સંગ્રહમાં કહેશે તેના પૂર્વાપર ભાવનો વિચાર કરી નિદ્રા, ભય, જુગુપ્સા અને ઉદ્યોત એ પ્રકૃતિઓને ઓછીવત્તી કરી પોતાની મેળે જ સમજવા.
પ્રશ્ન—મિથ્યાર્દષ્ટિને મોહનીયકર્મની સાત પ્રકૃતિનો ઉદય છતાં વિગ્રહગતિમાં નામકર્મની એકવીસ પ્રકૃતિના ઉદયે વર્તમાન આત્માને પિસ્તાળીસ પ્રકૃતિનું ઉદયસ્થાનક કેમ ન સંભવે ? છેતાળીસનું કેમ કહ્યું ?
ઉત્તર—વસ્તુસ્વરૂપનું અજ્ઞાન હોવાથી ઉપરોક્ત શંકા અયોગ્ય છે. કારણ કે મિથ્યાર્દષ્ટિને સાતનો ઉદય અનંતાનુબંધીનો ઉદય ન હોય ત્યારે માત્ર એક આવલિકા સુધી હોય છે અને તે પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. અને નામકર્મની એકવીસ પ્રકૃતિનો ઉદય તો વિગ્રહગતિમાં હોય છે. કોઈપણ મિથ્યાર્દષ્ટિ અનંતાનુબંધીના ઉદય વિના કાળ કરતો નથી. એટલે વિગ્રહગતિમાં અનંતાનુબંધીના ઉદય વિનાનો કોઈપણ જીવ હોતો નથી. તેથી વિગ્રહગતિમાં આઠનો જ ઉદય હોય છે, અને તેને છેતાળીસ આદિ જ ઉદયસ્થાનકો હોય છે.
તથા તે મિથ્યાદૃષ્ટિનું છેલ્લું ઓગણસાઠ પ્રકૃતિનું ઉદયસ્થાન મોહનીય દશે પ્રકૃતિઓ ઉદયમાં હોય ત્યારે હોય છે. તે ઓગણસાઠ પ્રકૃતિઓ આ પ્રમાણે છે—અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજ્વલન ક્રોધાદિમાંથી કોઈપણ ક્રોધાદિ ચાર, ત્રણ વેદમાંથી એક વેદ, બે યુગલમાંથી એક યુગલ, ભય, જુગુપ્સા અને મિથ્યાત્વ મોહનીય મોહનીયમાં દશ. એની તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, સુભગ દુર્ભાગમાંથી એક, આદેય અનાદેયમાંથી એક, યશઃકીર્તિ અયશઃકીર્તિમાંથી એક, વર્ણાદિ ચતુષ્ક,
તેઓને પૂર્વોક્ત એકાવનમાં પરાઘાત અને વિહાયોગતિ ઉમેરતાં ત્રેપનનો ઉદય થાય. તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રામાંથી એક એક ઉમેરતાં ચોપ્પન, બબ્બે ઉમેરતાં પંચાવન અને ત્રણે ઉમેરતાં છપ્પનનો ઉદય થાય છે. તથા ઉચ્છ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તા તેઓને પૂર્વોક્ત ત્રેપનના ઉદયમાં શ્વાસોચ્છ્વાસ ઉમેરતાં ચોપ્પનનો ઉદય થાય. તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રામાંથી એક એક ઉમેરતાં પંચાવન, બબ્બે ઉમેરતાં છપ્પન, અને ત્રણે ઉમેરતાં સત્તાવનનો ઉદય થાય છે. તથા ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને પૂર્વોક્ત ચોપ્પનમાં સ્વરનો ઉદય વધારતાં પંચાવનનો ઉદય થાય. તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રામાંથી એક એક ઉમેરતાં છપ્પન, બબ્બે ઉમેરતાં સત્તાવન અને ત્રણે ઉમેરતાં અઠ્ઠાવનનો ઉદય થાય. તથા પૂર્વોક્ત પંચાવન પ્રકૃતિઓ તિર્યંચો આશ્રયી ઉદ્યોતનો ઉદય વધારતાં છપ્પનનો ઉદય થાય. તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રામાંથી એક એક ઉમેરતાં સત્તાવન, બબ્બે ઉમેરતાં અઠ્ઠાવન અને ત્રણે ઉમેરતાં ઓગણસાઠનો ઉદય થાય.
આ પ્રમાણે તિર્યંચોમાં એક સમયે એક જીવને વધારેમાં વધારે ઓગણસાઠ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તેમાં જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય પાંચ, વેદનીય એક, મોહનીય દશ, આયુ એક, ગોત્ર એક, અંતરાય પાંચ અને નામકર્મની એકત્રીસ પ્રકૃતિઓ હોય છે. દેવાદિ ભિન્ન ભિન્ન જીવો આશ્રયી ઉદયસ્થાનકો ગણતાં એક એક ઉદયસ્થાન અનેક પ્રકારે થાય તે તથા ક્રમશઃ વધારતાં ભૂયસ્કાર અને ઓછી કરતાં અલ્પતર થાય સ્વયમેવ સમજવા. અહીં જે ભૂયસ્કાર અને અલ્પતરો થાય તેનો પૂર્વોક્ત સંખ્યામાં કંઈ ઉપયોગ નથી, કારણ કે સંખ્યા વધશે નહિ. માત્ર એક ભૂયસ્કાર કે એક અલ્પતર અનેક રીતે થાય છે એટલું સમજાશે. અહીં ઉદયસ્થાનકોની દિશા માત્ર બતાવી છે તેથી ભિન્ન ભિન્ન જીવો આશ્રયી ઉદયસ્થાનકો સ્વયમેવ સમજી લેવાં.