Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૦૨
પંચસંગ્રહ-૧
સાથે સ્થિર, શુભ, યશકીર્તિ અને સાતવેદનીય–કુલ આઠ કર્મપ્રકૃતિઓનો મધ્યમ પરિણામે પરાવર્તમાન પરિણામે વર્તતો સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ જઘન્ય રસબંધ કરે છે.
જે સ્થિતિસ્થાનકથી જે સ્થિતિસ્થાનક પર્વત ઉપરોક્ત પ્રકૃતિઓ પરાવર્તનપણે બંધાય છે તેટલા સ્થાનકમાં વર્તતા આત્માઓ તે પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ કરે છે. કારણ કે સર્વવિરુદ્ધ પરિણામે કેવળ સાતવેદનીયાદિ શુભ પ્રવૃતિઓનો અને સર્વસંક્લિષ્ટ પરિણામે કેવળ અસાતવેદનીયાદિ અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ થાય છે, તે હેતુથી મધ્યમ પરિણામ યુક્ત સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ સપ્રતિપક્ષ ઉપરોક્ત પ્રકૃતિઓના જઘન્ય રસબંધનો સ્વામી થાય છે.
તથા સ્થાવર અને એકેન્દ્રિયજાતિનો નારકી વિના શેષ ત્રણ ગતિનો મિથ્યાદષ્ટિ મધ્યમ પરિણામે વર્તતો આત્મા જઘન્ય રસબંધનો સ્વામી છે. કેમકે સર્વ વિશુદ્ધ પરિણામે વર્તતો આત્મા , પંચેન્દ્રિય જાતિ અને સનામકર્મ બાંધે છે અને સર્વસંક્લિષ્ટ પરિણામે સ્થાવર અને એકેન્દ્રિયજાતિનો ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. માટે મધ્યમ પરિણામયુક્ત આત્મા બંને પ્રકૃતિઓના જઘન્ય રસબંધનો સ્વામી કહ્યો છે.
આતપ નામકર્મના સર્વસંક્લિષ્ટ પરિણામવાળા ઈશાન સુધીના મિથ્યાદષ્ટિ દેવો જઘન્ય રસબંધના સ્વામી છે. તેના બાંધનારાઓમાં તેઓ સર્વસંક્લિષ્ટ પરિણામવાળા છે માટે. આપ નામકર્મ માટે જો કે ગાથામાં નથી કહ્યું છતાં ગુરુમહારાજના વચનથી અને ગ્રંથાંતરથી જણાય છે. ૭૩
सुसराइ तिन्नि दुगुणा संठिइसंघयणमणुयविहजुयले । उच्चे चउगइ मिच्छा अईसोगाण उ पमत्तो ॥७४॥ सुस्वरादीनां त्रयाणां द्विगुणानां संस्थानसंहननमनुजविहायोगतियुगलानाम् ।
उच्चैर्गोत्रस्य चतुर्गतिको मिथ्यादृष्टिररतिशोकयोस्तु प्रमत्तः ॥७४॥
અર્થ સુસ્વરાદિ ત્રણને બમણી કરીએ એટલે સુવરત્રિક અને દુઃસ્વરત્રિક એમ છે પ્રકૃતિઓનો તથા સંસ્થાન ષક, સંઘયણ, મનુષ્યદ્ધિક, વિહાયોગતિદ્વિક અને ઉચ્ચગોત્રના ચારે ગતિના મિથ્યાદૃષ્ટિ જીવો જઘન્ય રસબંધના સ્વામી છે. તથા અરતિ અને શોકના જઘન્યરસનો પ્રમત્ત આત્મા સ્વામી છે.
ટીકાનુ–બમણા સુસ્વરાદિ ત્રણ છ થાય છે. એટલે કે સુસ્વર, સુભગ અને આદેય, દુઃસ્વર, દુર્લગ અને અનાદેય એ પ્રમાણે છે પ્રકૃતિઓ તથા છ સંસ્થાન, છ સંઘયણ, તથા યુગલ શબ્દનો મનુષ્ય અને વિહાયોગતિ બંનેની સાથે સંબંધ હોવાથી મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વારૂપ મનુષ્યયુગલ, શુભ કે અશુભ વિહાયોગતિરૂપ વિહાયોગતિયુગલ તથા ઉચ્ચગોત્ર એમ સઘળી મળી ત્રેવીસ પ્રકૃતિઓનો મધ્યમ પરિણામવાળો ચારે ગતિનો મિથ્યાષ્ટિ જઘન્ય રસબંધ કરે છે.
કારણ કે તે સઘળી પ્રકૃતિઓ જ્યારે પોતપોતાની પ્રતિપક્ષ પ્રકૃતિઓ સાથે પરાવર્તન પામી પામીને–વારાફરતી બંધાય તે વખતે તેઓનો જઘન્ય રસબંધ થાય છે. પરાવર્તનભાવ