Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદાર
૫૧૯
અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તૈજસ કાર્મણ, નિર્માણ, ઔદારિકદ્વિક, કોઈપણ એક સંઘયણ, કોઈપણ એક સંસ્થાન, પ્રત્યેક, ઉપઘાત, પરાઘાત, કોઈપણ એક વિહાયોગતિ, બે સ્વરમાંથી એક સ્વર, ઉચ્છવાસ, અને ઉદ્યોત એમ નામકર્મની એકત્રીસ, જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, ચક્ષુર્દર્શનાવરણાદિ ચાર, પાંચ નિદ્રામાંથી કોઈપણ એક નિદ્રા, એક વેદનીય એક આયુ, અને એક ગોત્ર. આ રીતે વધારેમાં વધારે ઓગણસાઠ પ્રકૃતિનો ઉદય હોય છે.
- આ ઉદયસ્થાનકોની અંદર સાસ્વાદન મિશ્ર અને દેશવિરતિ સંબંધી કેટલાંક ઉદયસ્થાનકો ભિન્ન ભિન્ન રીતે પણ સંભવે છે. તેઓને વફ્ટમાણ સપ્તતિકા સંગ્રહનો સમ્યફ રીતે વિચાર કરીને સ્વયમેવ કહેવાં. અહીં તો ઉક્ત સંખ્યાવાળાં ઉદયસ્થાનકોનો સંભવમાત્ર બતાવવો એ જ પ્રયોજન છે તે સિદ્ધ કર્યું.
અહીં અવક્તવ્યોદય ઘટતો નથી, કારણ કે સઘળી કર્મપ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થયા પછી તેના ઉદયનો ફરી સંભવ નથી.
અવસ્થિતોદય જેટલાં ઉદયસ્થાનકો હોય તેટલાં જ હોય છે એવું વચન હોવાથી છવ્વીસ છે.
કદાચ અહીં એમ શંકા થાય કે વિગ્રહગતિમાં કે સમુદ્ધાતમાં જે ઉદયસ્થાનકો હોય છે તેમાં અવસ્થિતોદય કેમ સંભવે ? કારણ કે તેનો ઘણો જ અલ્પ કાળ છે. તેના સમાધાનમાં એમ સમજવું કે–તે સ્થિતિમાં પણ બેત્રણ સમય અવસ્થાન થાય છે. જે સમયે વધે કે ઘટે તે જ સમયે ભૂયસ્કાર કે અલ્પતરોદય થાય છે. ત્યારપછીના સમયે જો તેનો તે જ ઉદય રહે તો તે અવસ્થિતોદય કહેવાય છે. સમુદ્યાત કે વિગ્રહગતિમાંનું ઉદયસ્થાનક જો એક જ સમય રહેતું હોય તો ઉપરોક્ત શંકા યુક્ત છે, પરંતુ તે ઉદયસ્થાનક બે કે ત્રણ સમય પણ રહી શકે છે એટલે અવસ્થિતોદય છવ્વીસ સંભવે છે. - તથા ભૂયસ્કારોદય એકવીસ અને અલ્પતરોદય ચોવીસ થાય છે.
૧. છવ્વીસ ઉદયસ્થાનકોમાં કેવળીનાં ઉદયસ્થાનો આશ્રયી છે, અવિરતિનાં ચુંમાળીસથી અઠ્ઠાવન સુધીનાં પંદર ઉદયસ્થાનકોમાં જે ક્રમે ઉદયમાં પ્રકૃતિઓ વધારી છે તે ક્રમે વધારતાં ચૌદ અને છેલ્લે ઓગણસાઠનું સરવાળે એકવીસ ભૂયસ્કાર થાય અને કેવળી મહારાજના ચાર ગણીએ તો ઓગણીસ ભૂયસ્કાર થાય. • ૨. છવ્વીસ ઉદયસ્થાનકોમાં કેવળી મહારાજનાં ઉદયસ્થાનો આશ્રયી નવ તથા અવિરતિનાં - અઠ્ઠાવનથી ચુંમાળીસ સુધીનાં પંદર ઉદયસ્થાનકોનાં પશ્ચાનુપૂર્વીએ પ્રકૃતિ ઓછી કરતાં ચૌદ અલ્પતર થાય. જેમ કે, અઠ્ઠાવન પ્રકૃતિના ઉદયમાંથી નિદ્રા, ભય અને જુગુપ્સામાંથી કોઈપણ એક ઓછી કરતાં સત્તાવનનું, કોઈપણ બે ઓછી કરતાં છપ્પનનું અને ત્રણ ઓછી કરતાં પંચાવનનું ઉદયસ્થાન થાય, એ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. તથા ઓગણસાઠ પ્રકૃતિના ઉદયવાળાને નિદ્રા આદિ પ્રકૃતિ ઓછી થતાં અઠ્ઠાવનનું અલ્પતર થાય. આ રીતે કુલ ચોવીસ અલ્પતર થાય. અહીં એક જ ભૂયસ્કાર અને અલ્પતર અનેક રીતે થઈ શકે છે પણ અવધિના ભેદે ભૂયસ્કારાદિનો ભેદ નહિ ગણાતો હોવાથી તેઓની તેટલી જ સંખ્યા થાય છે. તથા ચંમાળીસનો ઉદય વિગ્રહગતિમાં વર્તમાન ક્ષાયિક સમન્વીને હોય છે અને તેમાં ભય વગેરે ઉમેરતાં છેલ્લો સુડતાળીસનો ઉદય થાય છે અને અડતાળીસનો ઉદય ભવસ્થાને હોય છે એટલે અડતાળીસના ઉદયથી