Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
૫૩૨
અથવા અબંધક થઈ ફરી બાંધે ત્યારે અજધન્ય બંધ સાદિ થાય. તેના અભાવમાં તે બંને સરખા
જ છે.
ટીકાનુ—અહીં જધન્યથી આરંભી ઉત્કૃષ્ટ પર્યંત જે બંધ કે ઉદ્દયાદિ હોય તે સઘળો અજઘન્ય કહેવાય છે. માત્ર ઓછામાં ઓછો જે બંધ કે ઉદયાદિ હોય તેનો તેમાં સમાવેશ થતો નથી.
ઉત્કૃષ્ટથી આરંભી જઘન્ય પર્યંત જે બંધ કે ઉદયાદિ હોય તે સઘળો અનુત્કૃષ્ટ કહેવાય છે. માત્ર વધારેમાં વધારે જે બંધ કે ઉદયાદિ હોય તેનો તેમાં સમાવેશ થતો નથી.
જો કે જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેના તેમ જ ઉત્કૃષ્ટ અને જઘન્ય વચ્ચેનાં સ્થાનકો બંનેનાં સરખાં છે પરંતુ એટલા માત્રથી આ બન્નેમાં વિશેષ નથી એમ નથી. કારણ કે તગત સાદિત્વ વિશેષનો ભેદ હોવાથી બંનેમાં વિશેષ છે. તે જ વિશેષ-ભેદ બતાવે છે.
ઉત્કૃષ્ટથી જ્યારે પડે ત્યારે અનુત્કૃષ્ટ સાદિ થાય છે. એટલે કે જ્યારે પરિણામ વિશેષ વડે ઉત્કૃષ્ટ બંધ કરીને ત્યારપછી પરિણામની મંદતા વડે ઉત્કૃષ્ટ બંધથી પડે ત્યારે અનુત્કૃષ્ટ બંધની સાદિ થાય છે અને જઘન્ય બંધથી અથવા બંધાદિનો વિચ્છેદ કરીને પડે ત્યારે અજઘન્ય સાદિ થાય છે.
તાત્પર્ય એ કે જ્યારે તથાપ્રકારના પરિણામ વિશેષ વડે જઘન્ય બંધ કરીને ત્યાંથી પડે અથવા ઉપશાંતમોહ ગુણસ્થાનકે જઈ ત્યાં અબંધક થઈ પરિણામના પરાવર્તન વડે ત્યાંથી પડે ત્યારે અજઘન્ય બંધની સાદિ થાય છે. આ પ્રમાણે અજઘન્ય અને અનુત્કૃષ્ટની સાદિ ભિન્ન ભિન્ન કારણો વડે ઉત્પન્ન થયેલી હોવાથી અજઘન્ય અને અનુષ્કૃષ્ટ એ બંને ભિન્ન છે, એક નથી.
તથા અજઘન્ય અને ઉત્કૃષ્ટ ભિન્ન ભિન્ન અવધિ-મર્યાદાથી ઉત્પન્ન થયેલા છે માટે પણ તે બંને ભિન્ન છે. તે આ પ્રમાણે—જઘન્યરૂપ મર્યાદાને આશ્રયી અજઘન્ય અને ઉત્કૃષ્ટરૂપ મર્યાદાને આશ્રયી અનુત્કૃષ્ટ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલે કે જઘન્યથી અજઘન્ય અને ઉત્કૃષ્ટથી અનુત્કૃષ્ટ જાય છે. અવધિના ભેદે સ્વરૂપનો ભેદ જણાય છે. જેમ પૂર્વ અને પશ્ચિમ દિશાની મર્યાદા ભિન્ન ભિન્ન હોવાથી જેમ તે બંને સ્વરૂપે ભિન્ન છે તેમ અજઘન્ય અને અનુત્કૃષ્ટની મર્યાદા ભિન્ન ભિન્ન હોવાથી તે બંને પણ સ્વરૂપે ભિન્ન છે.
અહીં માત્ર સાદિત્વવિશેષનો સ્વીકાર વડે જ એટલે સાદિત્વરૂપ વિશેષ હોવાને લઈને જ અજઘન્ય અને અનુત્કૃષ્ટમાં સ્પષ્ટ વિશેષ-ભેદ જણાય છે, માટે તેનું ગ્રહણ કર્યું છે. જ્યાં સાદિત્વરૂપ વિશેષનો અભાવ છે, ત્યાં તે બેની વચ્ચે કોઈ ખાસ વિશેષ જણાતો નથી. કારણ કે સાદિત્વરૂપ વિશેષનો અભાવ ત્યારે જ હોય કે જ્યારે મર્યાદાનો અભાવ થાય એટલે કે જઘન્યથી અજધન્યે જાય ત્યારે અજઘન્યની સાદિ થાય અને ઉત્કૃષ્ટથી અનુત્કૃષ્ટ જાય ત્યારે અનુભૃષ્ટની સાદિ થાય એ મર્યાદા જ નષ્ટ થાય ત્યારે વચલાં સ્થાનકો સરખાં હોવાથી તે બંનેમાં કોઈ જાતનો ભેદ ઘટી શકે નહિ. માટે સાદિત્વ વિશેષ જ તે બંનેના ભેદમાં કારણ છે. સાદિત્વ વિશેષના અભાવે તે બંને સરખા છે.
જે કોઈ પણ સ્થળે સાદિત્વવિશેષ નહિ જણાવાથી અજઘન્ય અનુત્કૃષ્ટ વચ્ચે ભેદ ન