Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ચતુર્થદ્વાર
૪૧૯
અથવા ભય, જુગુપ્સા અને ત્રણ કાયનો વધુ મેળવતાં પણ તેર હેતુ થાય. છ કાયના ત્રિક સંયોગે વીસ ભંગ થાય. કાય વધસ્થાને તે વીસ ભંગ મૂકી ક્રમશઃ અંકોને ગુણતાં ચોવીસ હજાર ૨૪૦૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે તેર હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા સડસઠ હજાર અને બસો ૬૭૨૦૦ થાય. આ પ્રમાણે તેર હેતુના ભાંગા કહ્યા.
હવે ચૌદ હેતુના કહે છે—તે પૂર્વોક્ત નવ બંધ હેતુમાં છ કાયનો વધ મેળવતાં ચૌદ હેતુ થાય. છ કાયનો છના સંયોગે એક જ ભંગ થાય, કાયના વધના સ્થાને તે એક અંક મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોને ગુણતાં બારસો ૧૨૦૦ ભાંગા થાય.
અથવા ભય અને પાંચ કાય મેળવતાં પણ ચૌદ થાય. કાયના પંચસંયોગી છ ભાંગા કાયની હિંસાને સ્થાને મૂકી ક્રમશઃ અંકોનો ગુણાકાર કરતાં બોતેરસો ૭૨૦૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા અને પાંચ કાય મેળવતાં ચૌદ હેતુના પણ બોતેરસો ૭૨૦૦ ભાંગા
થાય.
અથવા ભય, જુગુપ્સા એ ચાર કાયનો વધ મેળવતાં પણ ચૌદ હેતુ થાય. અહીં કાયના વધના સ્થાને પંદરનો અંક મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે ચૌદ હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા તેત્રીસ હજાર અને છસો ૩૩૬૦૦ થાય. આ પ્રમાણે ચૌદ હેતુના ભાંગા કહ્યા.
હવે પંદર હેતુના કહે છે—તે પૂર્વોક્ત નવ હેતુમાં ભય અને છ કાયનો વધ મેળવતાં પંદર હેતુ થાય, છ કાયો છ સંયોગી એક ભંગ થાય, કાયની હિંસાના સ્થાને તે એક ભંગ મૂકી પૂર્વોક્ત અંકોનો ગુણાકાર કરતાં બારસો ૧૨૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને છ કાયનો વધ મેળવતાં પંદર હેતુના પણ ૧૨૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા અને પાંચ કાયનો વધ મેળવતાં પંદર થાય. છ કાયના પંચ સંયોગી છ ભાંગા થાય. તે છ ભાંગા કાયની હિંસાના સ્થાને મૂકી અનુક્રમે અંકોનો ગુણાકાર કરતાં બોતેરસો ૭૨૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે પંદર હેતુ ત્રણ પ્રકારે થાય. તેના કુલ ભાંગા છત્તુંસો ૯૬૦૦ થાય. આ પ્રમાણે પંદર હેતુના ભાંગા કહ્યા.
હવે સોળ હેતુના કહે છે—તે પૂર્વોક્ત નવ બંધહેતુમાં ભય જુગુપ્સા અને એ કાયનો વધુ મેળવતાં સોળ હેતુ થાય. છ કાયનો છના સંયોગે એક ભંગ થાય. તે એક ભંગ કાયની હિંસાના સ્થાને મૂકી ક્રમશઃ અંકોને ગુણતાં બારસો ૧૨૦૦ ભાંગા થાય.
મિશ્રર્દષ્ટિ ગુણઠાણે નવથી સોળ બંધહેતુના કુલ ભાંગા ત્રણ લાખ અને ચોવીસસો
૩૦૨૪૦૦ થાય. ૧૧