Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર
કર્યો. તે પણ અયોગ્ય છે. કારણ કે દેશઘાતિ સ્પર્ધકોનો ઉદય છતાં પણ કેટલાક દેશઘાતિ સ્પર્ધ્વકની અપેક્ષાએ ક્ષયોપશમ થવામાં કોઈ પણ પ્રકારે વિરોધ નથી. તે ક્ષયોપશમ તેવા તેવા પ્રકારનાં દ્રવ્ય, ક્ષેત્ર અને કાળાદિ સામગ્રીના વશથી વિચિત્રતાનો સંભવ હોવાથી અનેક પ્રકારે છે. તથા ઉદય છતાં જ જો ક્ષાયોપશમિકભાવ થાય તો સઘળાં કર્મોનો થતો નથી પરંતુ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મોનો જ થાય છે.
૩૧૯
જો એમ છે તો મોહનીયકર્મનો ક્ષયોપશમ શી રીતે થાય છે ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે, મોહનીયકર્મનો ક્ષયોપશમ પ્રદેશોદય હોય ત્યારે જ થાય છે, રસોદય હોય ત્યારે નહિ. કારણકે અનંતાનુબંધિઆદિ કર્મપ્રકૃતિઓ સર્વઘાતિ છે. સર્વઘાતિ પ્રકૃતિઓના સઘળા રસસ્પર્ધ્વકો સર્વઘાતિ જ હોય છે, દેશઘાતિ હોતા નથી. સર્વઘાતિ રસસ્પર્ધકો સ્વઘાત્ય ગુણને સંપૂર્ણપણે હણે છે, દેશથી નહિ તેથી તેઓનો વિપાકોદય છતાં ક્ષયોપશમનો સંભવ નથી, પરંતુ પ્રદેશોદય છતાં ક્ષયોપશમનો સંભવ છે.
વળી અહીં એમ શંકા થાય કે—પ્રદેશોદય છતાં પણ ક્ષયોપશમભાવનો સંભવ કેમ હોઈ શકે ? કારણ કે સર્વઘાતિસ્પર્ધકોનાં દલિકો સર્વપ્રકારે સ્વઘાત્યગુણને ઘાત કરવાના સ્વભાવવાળાં હોય છે. તેના ઉત્તરમાં કહે છે કે—વસ્તુ સ્વરૂપના જ્ઞાનનો અભાવ હોવાથી ઉપરોક્ત શંકા અયોગ્ય છે. કેમ કે તે સર્વઘાતિસ્પર્ધકનાં દલિકોને તથાપ્રકારના શુદ્ધ અધ્યવસાયના બલથી કંઈક અલ્પ શક્તિવાળા કરીને તે સ્પર્ધ્વકો વિરલ વિરલપણે અનુભવતા દેશઘાતિ રસસ્પદ્ધકોમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમતા હોવાથી જેટલી તેઓમાં ફળ આપવાની શક્તિ છે તે પ્રગટ કરવા સમર્થ થતા નથી, રસોદય હોય અને જેટલું ફળ આપી શકે તેટલું ફળ આપવા સમર્થ થતા નથી. તેથી તે સ્પર્ધકો ક્ષયોપશમને હણનાર થતા નથી. માટે મોહનીયકર્મનો પ્રદેશોદય છતાં ક્ષયોપશમભાવ વિરોધી નથી.
‘અમેરોત્તિ' એ પદના અંતે મૂકેલ ઇતિ શબ્દ અધિક અર્થનો સૂચક હોવાથી આ પ્રમાણે વિશેષ સમજવું—આદિના બાર કષાય અને મિથ્યાત્વમોહનીય રહિત શેષ મોહનીય પ્રકૃતિઓનો પ્રદેશોદય હોય અથવા વિપાકોદય હોય છતાં ક્ષયોપશમ થાય છે એમાં કંઈ વિરોધ નથી. કારણ કે સંજ્વલન આદિ મોહનીયની પ્રકૃતિઓ દેશઘાતિ છે. તેમાં પણ આ વિશેષ છે— સર્વઘાતિ પ્રકૃતિઓ સિવાયની શેષમોહનીયકર્મની પ્રકૃતિઓ અવોદયી છે. તેથી વિપાકોદયના અભાવમાં ક્ષયોપશમિક ભાવ હોવા છતાં અને પ્રદેશોદયનો સંભવ છતાં પણ તે પ્રકૃતિઓ અલ્પ પણ દેશઘાતિ થતી નથી. જ્યારે વિપાકોદય હોય ત્યારે ક્ષાયોપશમિક ભાવ છતાં કંઈક મલિનતા કરતી હોવાથી દેશઘાતિ થાય છે. એટલે ગુણના દેશને હણનારી થાય છે.
તાત્પર્ય એ છે કે દેશઘાતિની પ્રકૃતિઓનો ઉદય છતાં ક્ષયોપશમ થઈ શકે છે, અને સર્વઘાતિની પ્રકૃતિઓનો ઉદય છતાં ક્ષયોપશમ થઈ શકતો નથી પરંતુ પ્રદેશોદય છતાં ક્ષયોપશમ
૧. ક્ષયોપશમનો અર્થ ઉદયપ્રાપ્ત કર્મપુદ્ગલોનો ક્ષય કરવો અને ઉદય અપ્રાપ્ત પુદ્ગલોને ઉપશમાવવાં. અહીં ઉપશમના બે અર્થ થઈ શકે ઃ—૧. ઉપશમ એટલે ઉદય પ્રાપ્ત કર્મપુદ્ગલોનો ક્ષય કરવો અને સત્તાગત દલિકોને અધ્યવસાયને અનુસરી હીન શક્તિવાળા કરવાં. ૨. ઉદય પ્રાપ્ત કર્મપુદ્ગલોનો ક્ષય