Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૧૪
પંચસંગ્રહ-૧
તે તે ભવમાં ધારણ જીવનું જ થાય છે, અન્ય કોઈનું નહિ. આનુપૂર્વીઓ પણ વિગ્રહગતિરૂપ ક્ષેત્રમાં વિપાક બતાવતી આકાશપ્રદેશની શ્રેણિને અનુસરીને ગમન કરવા રૂપ સ્વભાવ જીવનો જ કરે છે, ઉદયપ્રાપ્ત આતપનામ અને સંસ્થાન નામકર્માદિ પુદ્ગલવિપાકી પ્રકૃતિઓ પણ તે તે પ્રકારની શક્તિ જીવમાં જ ઉત્પન્ન કરે છે કે જે વડે જીવ તેવા જ પ્રકારનાં પુદ્ગલો ગ્રહણ કરે છે, અને ગ્રહણ કરાયેલાં પુદ્ગલોની તે તે પ્રકારની રચના કરે છે. માટે સઘળી જીવવિપાકી જ છે, તો પછી અન્ય અન્ય વિપાકી શા માટે કહી ?
ઉત્તર—એ સત્ય છે. સઘળી પ્રકૃતિઓ જીવવિપાકી જ છે. જીવ વિના વિપાક-ફળનો અનુભવ હોતો જ નથી. અહીં માત્ર ભવાદિના પ્રાધાન્યની વિવક્ષાએ ભવવિપાકી આદિ વ્યપદેશ થાય છે. એટલે કે ભવાદિ દ્વારા તે તે પ્રકૃતિઓના ફળને જીવ અનુભવે છે માટે ભવાદિની મુખ્યતા હોવાથી તે તે પ્રકૃતિઓની તે તે પ્રકારની સંજ્ઞા થાય છે, તેથી અહીં કંઈ દોષ નથી. ૨૪ અહીં પુદ્ગલવિપાકિની પ્રકૃતિઓ ઔદાયિકભાવે છે એ કહ્યું છે તે પ્રસંગને અનુસરી શેષ પ્રકૃતિઓમાં પણ સંભવતા ભાવો કહે છે—
मोहस्सेव उवसमो खाओवसमो चउण्ह घाईणं । खयपरिणामियउदया अट्ठण्हवि होंति कम्माणं ॥ २५ ॥
मोहस्यैवोपशमः क्षयोपशमश्चतुर्णां घातिनाम् ।
क्षयपारिणामिकोदया अष्टानामपि भवन्ति कर्म्मणाम् ॥२५॥
અર્થ——ઉપશમ મોહનીયકર્મનો જ થાય છે, ક્ષયોપશમ ચાર ઘાતિકર્મનો થાય છે, અને ક્ષાયિક પારિણામિક અને ઔદાયિકભાવો આઠે કર્મોમાં હોય છે.
ટીકાનુ—વિપાક અને પ્રદેશ એ બંને પ્રકારે ઉદયના રોકાવા રૂપ ઉપશમ આઠ કર્મોમાંથી માત્ર મોહનીયકર્મનો જ થાય છે, બીજા કોઈ પણ કર્મોનો થતો નથી. કારણ કે જેમ મોહનીય કર્મનો સર્વથા ઉપશમ થવાથી ઉપશમભાવનું સમ્યક્ત્વ અને ઉપશમભાવનું યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય છે, તેમ જ્ઞાનાવરણાદિ કર્મોનો સર્વથા ઉપશમ થવાથી કેવળજ્ઞાનાદિ ગુણો તથાસ્વભાવે ઉત્પન્ન થતા જ નથી.
અહીં ઉપશમ શબ્દથી સર્વોપશમ વિવક્ષ્યો છે, પરંતુ દેશોપશમ વિવક્ષ્યો નથી. કેમ કે દેશોપશમ તો આઠે કર્મોનો થાય છે.
ઉદયાવલિકામાં પ્રવિષ્ટ કર્માંશના ક્ષય વડે અને ઉદયાવલિકામાં અપ્રવિષ્ટ અંશના વિપાકોદયના રોકાવારૂપ ઉપશમ વડે થયેલો જે જીવસ્વભાવ તે ક્ષાયોપમિક ભાવ. તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતિકર્મોમાં જ પ્રવર્તે છે, શેષ અઘાતી કર્મોમાં પ્રવર્તતો નથી. અને તે પણ કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણના રસોદયના રોકાવાનો અભાવ હોવાથી તે બે પ્રકૃતિ વિના શેષ ચાર ઘાતિકર્મની પ્રકૃતિઓમાં જ પ્રવર્તે છે. ઘાતિકર્મ આત્માના જ્ઞાનાદિ ગુણને રોકે છે એટલે તેનો યથાયોગ્ય રીતે સર્વોપશમ કે ક્ષયોપશમ થવાથી જ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે. અથાતિ કર્મો કોઈ આત્માના ગુણને રોકતા નથી તેથી તેનો