Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૧૮
પંચસંગ્રહ-૧ શંકા-ઔદયિકભાવ નિગોદથી માંડી સઘળા સંસારી જીવોને હોય છે, અને પરામિક તો કેટલાકને જ હોય છે, તો પછી ગાથાની શરૂઆતમાં ઔદયિક ભાવને છોડી શા માટે ઔપથમિકભાવનું ગ્રહણ કર્યું છે?
ઉત્તર–જીવનું સ્વરૂપ જણાવતાં તેનું એવું સ્વરૂપ જણાવવું જોઈએ કે જે અસાધારણ હોય. કારણ કે એ પ્રમાણે અસાધારણ સ્વરૂપ જણાવે તો જ અન્ય પદાર્થોથી જીવ ભિન્ન છે એવું સમજાય, અન્યથા ન સમજાય. આ હેતુથી ઔદયિકાદિ ગ્રહણ ન કરતાં ઔપશમિકાદિ ભાવોનું પ્રહણ કર્યું છે.
એ જ હકીકત સ્પષ્ટ કરે છે–ઔદયિક અને પારિણામિક એ બે ભાવ તો અજીવદ્રવ્યમાં પણ ઘટે છે, માટે તે ભાવો શરૂઆતમાં ગ્રહણ કર્યા નથી. ક્ષાવિકભાવ ઔપથમિક ભાવપૂર્વક જ થાય છે, કારણ કે કોઈપણ જીવ ઉપશમભાવ પામ્યા વિના ક્ષાયિકભાવ પ્રાપ્ત કરતો જ નથી. કેમ કે અનાદિ મિથ્યાત્વી પહેલી વાર ઉપશમ સમ્યક્ત જ પ્રાપ્ત કરે છે, માટે તેને પણ શરૂઆતમાં ન મૂક્યો. ક્ષાયોપથમિકભાવ ઔપશમિકભાવથી અત્યંત ભિન્ન નથી, તેથી શરૂઆતમાં ઔપશમિક ભાવનું ગ્રહણ કર્યું છે.
પ્રશ્ન-૨. જીવો કોના પ્રભુ-સ્વામી છે?
ઉત્તર–જીવો પોતાના સ્વરૂપના જ પોતે સ્વામી છે. આ નિશ્ચયનયનો અભિપ્રાય છે. કારણ કે કર્મોથી છૂટા થયેલા આત્માઓ કોઈ કોઈના સ્વામી નથી, પરંતુ તથાસ્વભાવે પોતાના સ્વરૂપના જ પોતે સ્વામી છે. સંસારમાં જે સ્વામી-સેવકભાવ જણાય છે, તે કર્મરૂપ ઉપાધિથી ઉત્પન્ન થયેલો હોવાથી પાધિક છે, વાસ્તવિક નથી.
પ્રશ્ન-૩. જીવોને કોણે બનાવ્યા છે?
ઉત્તર–જીવોને કોઈએ બનાવ્યો જ નથી, પરંતુ આકાશની જેમ અકૃત્રિમ છે. હંમેશાં એક નિયમ છે કે ઉત્પન્ન થયેલી વસ્તુની જરૂર નાશ થાય. જો જીવ ઉત્પન્ન થયેલો હોય તો તેનો પણ નાશ થાય. પરંતુ તેનો કોઇકાળે નાશ થતો નહિ હોવાથી અકૃત્રિમ છે.
ટીકાકાર મહારાજ લખે છે કે–જીવો અકૃત્રિમ છે તેનું યુક્તિપૂર્વક સવિસ્તૃત સ્વરૂપ ધર્મસંગ્રહણિની ટીકામાં કહ્યું છે, ત્યાંથી જોઈ લેવું. અહીં ગ્રંથગૌરવના ભયથી કહેવામાં આવ્યું નથી. ૨.
कत्थ सरीरे लोए व हंति केवचिर सव्वकालं तु । कइ भावजुया जीवा दुगतिगचउपंचमीसेहिं ॥३॥
૧. જે વસ્તુનું જ સ્વરૂપ એટલે કે જે ગુણ અથવા ધર્મ બતાવવામાં આવે તે સ્વરૂપ તે જાતની દરેક વસ્તુમાં હોય અને તે સિવાયની વસ્તુમાં ન જ હોય તો તે અસાધારણ સ્વરૂપ કહેવાય, જેમ, ઉપયોગ એ જીવનું સ્વરૂપ છે, તો સઘળા જીવોમાં અધિક વા ન્યૂન પ્રમાણમાં કોઈ ને કોઈ ઉપયોગ અવશ્ય હોય છે અને જીવ સિવાયની વસ્તુમાં ઉપયોગ હોતો જ નથી, માટે ઉપયોગ એ જીવનું અસાધારણ સ્વરૂપ કહેવાય.