Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૧૬
પંચસંગ્રહ-૧
છે. આવો બોધ ન થાય ત્યાં સુધી મતિજ્ઞાન અને ઉપરોક્ત બોધ થાય ત્યારે શ્રુતજ્ઞાન થયું
કહેવાય.
પ્રશ્ન—૩૬. યથાપ્રવૃત્તાદિક ત્રણ કરણમાંથી અભવ્ય જીવ કેટલાં કરણ કરે ? ઉત્તર—અભવ્યજીવો માત્ર યથાપ્રવૃત્તકરણ કરે.
પ્રશ્ન—૩૭. સામાયિક કેટલા પ્રકારનાં છે ?
ઉત્તર—શ્રુત, સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ એમ ચાર પ્રકારે છે.
પ્રશ્ન—૩૮. અભયજીવો ચારમાંથી કયું સામાયિક પામે, તેનાથી તેમને શું લાભ થાય ? ઉત્તર—અભવ્યો. ચારમાંથી માત્ર શ્રુત સામાયિક પ્રાપ્ત કરે, તેનાથી સાડા નવ પૂર્વસુધીનો અભ્યાસ કરી શકે.
પ્રશ્ન—૩૯. અભવ્યો નવે તત્ત્વો માને કે નહિ ?
ઉત્તર—અભવ્યો મોક્ષ સિવાય વધુમાં વધુ આઠ તત્ત્વો માને.
પ્રશ્ન—૪૦. અભવ્ય જીવો જો મોક્ષને ન માને તો પછી ચારિત્ર શા માટે સ્વીકારે ? અને તેથી શું લાભ થાય ?
ઉત્તર—અભવ્યો તીર્થંકર પરમાત્માની ઋદ્ધિ તેમજ તેઓશ્રી પાસે આવતા મહર્દિક દેવો તેમજ ઇન્દ્રાદિકને જોઈને શ્રી તીર્થંકર પરમાત્માની ઋદ્ધિ અથવા દેવ-ઇન્દ્રાદિકપણું પ્રાપ્ત કરવા દ્રવ્ય ચારિત્રનો સ્વીકાર કરે છે, પણ ભાવચારિત્રનો નહિ, અને તેથી નવ ત્રૈવેયક સુધીનાં સુખો મેળવી શકે છે.
પ્રશ્ન—૪૧. બંધાયેલ બધાં જ કર્મ ભોગવવાં પડે કે ભોગવ્યા વિના પણ ક્ષય થાય ? ઉત્તર——બંધાયેલ બધાં જ કર્મ પ્રદેશથી અવશ્ય ભોગવવાં જ પડે પણ રસથી ભોગવે પણ ખરા અને ભોગવ્યા વિના પણ ક્ષય થાય ?
પ્રશ્ન—૪૨. એવું કયું કર્મ છે કે જે આખા ભવમાં એક જ વાર બંધાય ?
ઉત્તર—આયુષ્ય કર્મ.
પ્રશ્ન—૪૩. સ્તિબુકસંક્રમ અને પ્રદેશોદયમાં શું ફેર છે ?
ઉત્તર—કંઈ પણ ફેર નથી, બંને એક જ છે.
પ્રશ્ન—૪૪. મહાવિદેહ ક્ષેત્રમાં પાંચમાંથી કેટલાં અને કયાં કયાં ચારિત્ર હોય.
ઉત્તરાવત્કથિક સામાયિક, સૂક્ષ્મસં૫રાય અને યથાખ્યાત એ ત્રણ ચારિત્ર હોય.