Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૦૬
પંચસંગ્રહ-૧
तसबायरसाहारणअसन्निअपुमाण जो ठिईकालो । सो इयराण विरहो एवं हरियेयराणं च ॥५८॥ ત્રવિલાસાધારVIસંચjણાં (નપુંસવાના) : સ્થિતિવાતઃ |
स इतरेषां विरह एवं हरितेतरेषां च ॥५८॥ અર્થ––સ, બાદર, સાધારણ, અસંજ્ઞી અને નપુંસકનો જે સ્થિતિકાળ તે ઇતરસ્થાવરાદિનો વિરહકાળ સમજવો. એ રીતે હરિત અને અહરિતના સંબંધમાં સમજવું.
ટીકાનુ–પૂર્વની ગાથાઓમાં અનેક જીવાશ્રયી અંતર કહ્યું છે. જેમ કે દેવ અગર નરકગતિમાં ભવાંતરમાંથી કોઈપણ જીવ આવી દેવ કે નરકરૂપે ઉત્પન્ન ન થાય તો કેટલો કાળ ઉત્પન્ન ન થાય ?
હવે પછી એક જીવાશ્રયી અંતર કહે છે. જેમ કેકોઈ એક જીવ ત્રસ કે બાંદર છે, . તે વધારેમાં વધારે કેટલા કાળે સ્થાવરપણું કે સૂક્ષ્મપણું પ્રાપ્ત કરે ?
અહીં એનું સામાન્ય સ્વરૂપ એ છે કે એક ભેદનો જેટલો સ્થિતિકાળ હોય, તેટલો તેના વિરુદ્ધ ભેદનો વિરહકાળ હોય છે. જેમ કે સ્થાવર કે સૂક્ષ્મપણાનો વિરહકાળ કેટલો? એટલે કે કોઈ એક જીવ કેટલાકાળે સ્થાવરપણું કે સૂક્ષ્મપણું પ્રાપ્ત કરે એનો નિર્ણય કરવો હોય ત્યારે તેના વિરુદ્ધ ભેદ ત્રસ અને બાદરપણે ઉત્કૃષ્ટથી તે જીવ કેટલો કાળ રહે એ વિચારી નિર્ણય કરવો જોઈએ. એક જીવ વધારેમાં વધારે ત્રસપણામાં અને બાદરપણામાં જેટલો કાળ રહે, તેટલો સ્થાવર અને સૂક્ષ્મપણાનો અંતર કાળ ગણાય. આ જ હકીકત વિસ્તારથી કહે છે –
ત્રસ, બાદર, સાધારણ અસંજ્ઞી અને નપુંસક એ દરેકનો જેટલો સ્થિતિકાળ છે તેટલો અનુક્રમે તેઓના પ્રતિપક્ષ સ્થાવર સૂક્ષ્મ પ્રત્યેકશરીર સંજ્ઞી અને સ્ત્રી-પુરુષવેદનો ઉત્કૃષ્ટથી વિરહકાળ સમજવો.
જેમ કે સ્થાવરપણું છોડીને સ્થાવરપણું પ્રાપ્ત કરતાં કેટલો કાળ જાય ? તો કહે છે કે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રસકાયનો કાયસ્થિતિકાળ કેટલાંક વર્ષ અધિક બે હજાર સાગરોપમ પ્રમાણ કાળ જાય.
જઘન્યથી અંતર્મુહૂર્તની ભાવના આ પ્રમાણે-કોઈ એક જીવ સ્થાવરપણું છોડી અંતર્મુહૂર્ત આયુવાળા ત્રસમાં આવી સ્થાવરમાં જાય તે આશ્રયી જઘન્ય અંતર્મુહૂર્તકાળ ઘટે છે.
કોઈ જીવ ઉપરોક્ત કંઈક અધિક બે હજાર સાગરોપમ ત્રસમાં રહી મોક્ષમાં ન જાય તો પછી અવશ્ય સ્થાવરમાં જાય એ રીતે ઉત્કૃષ્ટ અંતરકાળ ઘટે છે.
એ રીતે સૂક્ષ્મપણું પ્રાપ્ત કરતાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાદર'નો સિત્તેર કોડાકોડી
૧. અહીં સૂક્ષ્મપણાનું ઉત્કૃષ્ટ અંતર સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ જણાવ્યું, પરંતુ સામાન્ય સક્સની અપેક્ષાએ તેટલું અંતર ઘટી શકતું નથી. આગળ આ જ કારની ગા. ૫૦ અને તેની ટીકામાં સામાન્ય બાદરની ઉત્કૃષ્ટ સ્વકાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ બતાવી છે. એટલે સૂક્ષ્મનું ઉત્કૃષ્ટ અંતર પણ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ સંભવે છે, તેથી પૃથ્વીકાયાદિ કોઈપણ વિવલિત એક કાર્યમાં જ