Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર
૧૫૭
ઘાત-ક્ષય, તન્મય થવા વડે કાલાંતરે ભોગવવા યોગ્ય ઘણા કર્ભાશનો જેની અંદર ક્ષય થાય તે સમુઠ્ઠાત.
અહીં એમ પ્રશ્ન થાય કે તન્મયતા કોની સાથે ? તો કહે છે કે–વેદનાદિ સાથે. તે આ પ્રમાણે
જયારે આત્મા વેદનાદિ સમુદ્યાતને પ્રાપ્ત થયેલો હોય છે, ત્યારે વેદનાદિના અનુભવ જ્ઞાનમાં જ પરિણત થાય છે, એટલે કે તેના જ ઉપયોગવાળો હોય છે, અન્ય જ્ઞાનમાં પરિણત હોતો નથી.
પ્રબળતાએ–અધિકતાયે કર્ભાશનો ક્ષય શી રીતે થાય ? તેના ઉત્તરમાં કહે છે કે – વેદનાદિના અનુભવ જ્ઞાનમાં પરિણત આત્મા કાલાંતરે અનુભવવા યોગ્ય ઘણા વેદનીયાદિના કર્મપ્રદેશોને ઉદીરણા કરણ વડે ખેંચી ઉદયાવલિકામાં નાંખી ભોગવી ક્ષય કરે છે, આત્મપ્રદેશો સાથે એકાકાર થયેલા કર્માણનો નાશ કરે છે.
સામાન્યતઃ સમુદ્યતનું સ્વરૂપ કહી હવે પ્રત્યેક સમુઘાત માટે કહે છે–
જ્યારે આત્મા વૈદના સમુદ્યતને પ્રાપ્ત થયેલાં હોય છે ત્યારે અશાતા વેદનાયકમના પુદ્ગલોનો ક્ષય કરે છે. એ જ હકીકત સ્પષ્ટ કરે છે–
વેદના વડે વિહવળ થયેલો આત્મા અનંતાનંત કમસ્કંધોથી વીંટાયેલા પોતાના , આત્મપ્રદેશોને શરીરથી બહાર પણ કાઢે છે. શરીરના ત્રણ ભાગ કરીએ તેમાં એક ભાગ પોલાણનો છે, જેમાં આત્મપ્રદેશ હોતા નથી, બે ભાગમાં હોય છે. જ્યારે સમુદ્યાત થાય છે, " ત્યારે આત્મપ્રદેશ એકદમ ચળ થાય છે, અને તે સ્વસ્થાનથી બહાર નીકળે છે. અને નીકળેલા તે પ્રદેશો વડે મુખ જઠર વગેરેનાં પોલાણોને અને કાન તથા ખભા આદિની વચ્ચેના ભાગને પૂરીને લંબાઈ પહોળાઈ વડે શરીર પ્રમાણ ક્ષેત્ર વ્યાપીને અંતર્મુહૂર્તકાળપયત રહે છે, અને તેટલા કાળમાં ઘણા અશાતા વેદનીયકર્મનો ક્ષય કરે છે.
' કષાય સમુઘાતને કરતો આત્મા કષાય ચારિત્રમોહનીયનાં કર્મપુદ્ગલોનો ક્ષય કરે છે. તે આ પ્રમાણે કષાયોના ઉદય વડે સમાકુળ-વિહ્વળ આત્મા પોતાના પ્રદેશોને બહાર કાઢીને તે પ્રદેશો વડે મુખ અને હોજરી આદિના પોલાણને પૂરીને અને કાન તથા ખભા આદિના અંતરભાગને પણ પૂરીને લંબાઈ-પહોળાઈ વડે શરીર પ્રમાણ ક્ષેત્ર વ્યાપીને અંતર્મુહૂર્ત પર્યત રહે છે, અને તેટલા કાળમાં ઘણાં કષાયમોહનીયનાં કર્મપુદ્ગલોનો ક્ષય કરે છે.
એ પ્રમાણે મરણ સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલો આત્મા આયુકર્મનાં પુદ્ગલોનો ક્ષય કરે છે. - વૈક્રિય સમુદ્યાત કરતો આત્મા પોતાના પ્રદેશોને શરીરથી બહાર કાઢીને તે પ્રદેશોનો જાડાઈ-પહોળાઈ વડે પોતાના શરીર પ્રમાણ અને લંબાઈ વડે સંખ્યાતા યોજન પ્રમાણ દંડ કરે છે. દંડ કરીને વૈક્રિય શરીરનામકર્મનાં પુગલોનો પહેલાની જેમ ક્ષય કરે છે.
કહ્યું છે કે–વૈક્રિય સમુદ્યાત કરે છે, કરીને સંખ્યાતા યોજન પ્રમાણ આત્મપ્રદેશનો દંડ રચે છે, રચીને સ્થૂલ પુદ્ગલોનો નાશ કરે છે.'