Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
co
પંચસંગ્રહ-૧ (૧૧) ઉપશાંત કષાય વીતરાગ છઘસ્થ ગુણસ્થાનક–જેણે કષાયો સંપૂર્ણપણે ઉપશાંત કર્યા છે અને જેને રાગ-દ્વેષનો અભાવ છે છતાં મોહનીય સિવાય શેષ ત્રણ ઘાતકર્મનો ઉદય વર્તે છે એવા આત્માનું જે ગુણસ્થાનક તે ઉપશાંત કષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક.
આ ગુણસ્થાનક ઉપશમશ્રેણિએ ચઢતાં જ પ્રાપ્ત થાય છે તે ઉપશમશ્રેણિનું સ્વરૂપ આ મુજબ છે.”
મોહનીય કર્મને સર્વથા ઉપશમાવવા માટે ઉત્તરોત્તર વધતી જે શુદ્ધ અધ્યવસાયોની ધારા તે ઉપશમશ્રેણિ. આ શ્રેણિનો પ્રારંભક અપ્રમત્ત સંયત જ હોય છે. અને અન્ય આચાર્યોના મતે અવિરતિ સમ્યગ્દષ્ટિથી માંડીને અપ્રમત્ત સંયત સુધીના કોઈપણ ચાર ગુણસ્થાનકમાંનો હોય છે.
| દર્શનમોહનીયની ઉપશમના અને ચારિત્રમોહનીયની ઉપશમના રૂપ શ્રેણિના બે અંશો. છે. ત્યાં સ્વમતે અપ્રમત્તસંયત અને અન્યમતે ચોથાથી સાતમાં ગુણસ્થાનકમાં રહેલો કોઈપણ આત્મા પ્રથમ ચાર અનંતાનુબંધિનો સમકાળે ઉપશમ કરે છે અને કેટલાક આચાર્યોના મતે અનંતાનુબંધિનો ક્ષય જ કરે છે. ત્યારબાદ સંયમમાં વર્તતો આત્મા સમકાળે દર્શનત્રિકનો ઉપશમ કરી પ્રમત્ત અપ્રમત્ત ગુણઠાણે હજારોવાર પરિભ્રમણ કરી અંતર્મુહૂર્ત પ્રમાણ આઠમાં ગુણસ્થાનકમાં સ્થિતિઘાતાદિથી કર્મોની સ્થિતિ ઓછી કરી કુલ નિદ્રાદિ છત્રીસ પ્રવૃતિઓનો બંધવિચ્છેદ કરી અનિવૃત્તિકરણ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે.
અહીં અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયા પછી એક સંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ બાકી રહે ત્યારે અનંતાનુબંધિ વિના ચારિત્રમોહનીયની શેષ ૨૧ પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે. ત્યારબાદ પ્રથમ નપુંસકવેદ, પછી સ્ત્રીવેદ, ત્યારબાદ હાસ્યષક અને તે પછી પુરુષવેદને સંપૂર્ણપણે ઉપશમાવે છે. ત્યારબાદ સમકાળે અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય ક્રોધને ઉપશમાવે, અને તે જ સમયે સંજવલન ક્રોધના બંધ-ઉદય અને ઉદીરણાનો વિચ્છેદ થાય–તે પછી સમયગૂન બે આવલિકા કાળે સંજ્વલન ક્રોધનો ઉપશમ થાય. ત્યારબાદ અંતર્મુહૂ સમકાળે અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય માનનો ઉપશમ થાય અને તે જ સમયે સંજ્વલન માનના બંધ ઉદી-ઉદીરણાનો વિચ્છેદ થાય, ત્યારબાદ સંજવલન માનનો અને ત્યારબાદ સમકાળે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાની માયાનો ઉપશમ થાય અને તે જ સમયે સંજ્વલન માયાના બંધઉદય-ઉદીરણા વિચ્છેદ થાય, ત્યારબાદ સમયગૂન બે આવલિકાકાળે સંજ્વલન માયાનો પણ ઉપશમ થાય. જે સમયે સંજ્વલન માયાના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ પામે તે સમયે સંજ્વલન લોભનો ઉદય થાય અને તે લોભનો ઉદય હવે જેટલો સમય રહેવાનો છે તેના ઉદયકાળની અપેક્ષાએ અશ્વકર્ણકરણોદ્ધા, કિકિરણોદ્ધા અને કિટ્ટિવેદનાદ્ધા એમ ત્રણ વિભાગ કરે.
(૧) અશ્વકર્ણકરણોદ્ધામાં વર્તમાન આત્મા અનંતા પૂર્વસ્પદ્ધકોમાંથી અપૂર્વસ્પર્ધકો કરે, એટલે કે અનાદિસંસારમાં પરિભ્રમણ કરતાં પૂર્વે કોઈપણ વાર ન કર્યા હોય તેવા અનંતગુણહીન રસવાળા સ્પર્ધકો અધ્યવસાયની વિશુદ્ધિના વશથી અહીં નવીન બનાવે છે, તે અશ્વકર્ણકરણોદ્ધા સમાપ્ત થયે છતે કિટ્ટિકરણોદ્ધામાં પ્રવેશ કરે.