________________
અર્થ- જેમ અંધારામાં રહેલ પદાર્થનું પ્રકાશ વિના ભાન નથી થતું તેમ અંતરંગ આત્મ વિચાર વિના અન્ય ગમે તેટલાં સાધને કેમ ન હોય! પરંતુ જ્ઞાન ઉત્પન્ન નથી થતું.
વારંવાર વિચારતાં, ઉપજે જ્ઞાન પ્રકાશ જેમ અરણ ઘસવાથકી, પ્રગટે ગુપ્ત હતાશ, विचारोऽध्यात्मविद्यानां ज्ञानंतत्त्वविदोविदुः।
ज्ञेयंतस्यांतरचारित्त माधुर्यपयसोयथा ॥३२४॥ અર્થ- તત્વના યથાર્થ સ્વરૂપને જાણનાર વિદ્વાન પુરુષે અધ્યાત્મવિદ્યાના (આત્મજ્ઞાનના) વિચારને જ જ્ઞાન કહે છે. કેમકે વસ્તુની સિદ્ધિ (આત્મજ્ઞાનની સિદ્ધિ) દિવ્ય અંતરંગ આત્મ વિચારમાં જ સમાયેલી છે. અર્થાત્ વિચારથી આશિક્ત વ્યક્ત (પ્રગટ) થાય છે. જેમ દૂધમાં માધુર્ય ગુણ સમાએલ છે, તેમ વિચારમાં જ આત્મજ્ઞાન ગુણ સમાયેલ છે. અર્થાત્ વિચારથી આત્મજ્ઞાન પ્રગટે છે. માટે સ્વાભાવિક આત્મશાંતિ ઈચ્છનાર ભવ્ય આત્મા એ વિચાર દ્વારા વસ્તુ સ્થિતિને યથાર્થ જાણી, તેને તે જ પ્રમાણે અનુભવ કરે, એ જ પરમ આત્માને શ્રેયસ્કર છે. एकरुण नविचिन्तयति मोक्षनिमित्तनिजात्मसद्भावं। अनिशंविचिन्तयति पापंबहुलालापंमनसाविचिन्तयति॥३२५॥ અર્થ- અજ્ઞાનરૂપી નિબિડ-ગાઢ અંધકારથી અંધ થયેલ (ઘેરાએલ-મૂછિત થએલ) દીસંસારી-ભારેકમી અસરલ (કઠોર)