________________
ભાવ ધર્મ
૧૭૩ મનની ઈચ્છાને સ્વાર્થભાવ પ્રત્યેથી વાળીને સર્વના હિત તરફ વાળવામાં આવે તે, સુખ-દુઃખ, રાગ-દ્વેષ, કામ-ધની વૃત્તિઓને અંત આવે છે. તેનું ઉત્પત્તિસ્થાન
અસ્મિતા” હતું. તે રહેતું નથી. “અસ્મિતાનું પ્રથમ રૂપ “હું” રહેતું નથી. તેનું બીજુ સ્વરૂપ “અહંકાર” છે. તે પણ રહેતો નથી. મનને સંબંધ પ૨૫દાર્થોમાં સ્વાર્થ પ્રધાન થાય તે “અમિતા” જાગે પણ નિઃસ્વાર્થભાવે પરહિત ચિતા સ્વરૂપ સર્વાત્માની સાથે સંબંધ થાય તે “અસ્મિતા” “હું” પણું ઉત્પન્ન થઈ શકતું નથી અને તેની સાથે સંબંધ રાખનારી વાસનાઓ પણ જાગતી નથી. મૂલપ્રકૃતિને પરિવર્તન કરવાને એકને એક ઉપાય મનને સંબંધ કેવળ પોતાના જ ભૌતિક સ્વાર્થ સાથે ન થવા દે અને સર્વાત્માના હિત સાથે કરવો તે છે. સર્વના સુખની ઈચ્છા જાગ્યા પછી અહંકાર અને મમકારના સ્થાને સમર્પણ અને સેવાભાવ જ ઉભો રહે છે. પરમાત્મભાવને સમર્પણ અને જગતના જીવોની સાથે ઔચિત્યપૂર્ણ વ્યવહાર એ તેનું ફળ છે. અહંભાવનું દહન
અહંભાવ જે સંસારભ્રમણનું કારણ છે. તેના “હકારને ઉપર અને નીચે “રકારરૂપ અગ્નિ બીજ વડે આરાધક પિતાને પગથી માથા સુધી દહન કરે, જેથી અહંભાવ ભમીભૂત થાય. આથી “અહંકારની તત્ત્વમયતા સ્થાપિત થાય છે તત્વ એટલે દયેય અથવા રહસ્ય. તવવિત્ એટલે યથાર્થ જાણનાર, રહસ્ય જાણનાર. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે સમાધિ તે યોગીઓ જ લગાવે સમાધિમાં શરીર અને સ્થાન ભૂલી જવાય છે. તેવી અવસ્થાને માત્ર યેગીઓ જ નહિ પણ પિતાના રોજીંદા જીવનમાં દરેક જીવ અનુભવ કરતે હેય છે. જીવનમાં જે કાર્ય અને જે વસ્તુ ઉપર પ્રીતિ હોય તેવા કાર્યમાં દરેક જીવ (ક્ષણિક) સમાધિને અનુભવ કરતા હોય છે. એક પ્રેમી બીજા પ્રેમીની યાદમાં પોતાને શું નથી ભૂલી જતો? - આ રીતે જે વિશ્વના સર્વ જી સાથે પ્રેમ કેળવાય તે વિશ્વપ્રેમી પરમાત્માની યાદમાં કેટલે આનંદ આવે?
વિશ્વના સર્વ જેનું હિત ચિંતવનાર એવા શ્રી અરિહંત પરમાત્માની યાદમાં આનંદ આવવા લાગે ત્યારે સમજવું કે આપણે તેમની સાથે યોગ થઈ ગયે. એથી જે સમાધિ આવશે તેમાં શાશ્વત આનંદનો અનુભવ થશે.
તે વેગ અને સમાધિ સાધવા માટે મનને કેળવવું પડશે. જગતના સર્વ જીવેનું હિત થાય અને સર્વ જીવોનું હિત ચાહનાર અને કરનાર પરમાત્માને વિજય થાય એ ભાવનાને મનમાં વારંવાર લાવી પડશે. એ ભાવનાના પુદગલે ચાદરાજ લેકમાં ફેલાઈને સર્વત્ર શાંતિને પ્રસાર કરશે.