________________
નયવાદની ઉપયોગિતા
૪૧૫
નયવાદની ઉપયોગિતા જૈન દર્શનમાં વસ્તુનું જ્ઞાન, પ્રમાણે અને નય–ઉભયથી કરવાનું ફરમાવ્યું છે. વમળનામ'. એ વાચક શ્રી ઉમાસ્વાતિજીનું પ્રસિદ્ધ વચન છે.
જૈન દર્શનમાં પાંચ જ્ઞાન પ્રમાણ સ્વરૂપ છે. તેના નામ અનુક્રમે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન છે. તેમાં પ્રથમનાં બે જ્ઞાન, પરેશ પ્રમાણુ છે અને પછીનાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે.
પ્રત્યક્ષ એટલે કેવળ આત્માથી જણાય છે. પરોક્ષ એટલે જે જાણવા માટે આત્માને ઈન્દ્રિ અને મનની સહાય લેવી પડે તે.
મતિજ્ઞાન પાંચ ઈન્દ્રિયે અને મનની સહાયથી થાય છે અને શ્રુતજ્ઞાન એકલાં મનની સહાયથી થાય છે; પણ બને પરોક્ષ પ્રમાણ જ્ઞાન છે.
નય એ શ્રુતજ્ઞાનને જ એક પ્રકાર છે. જે જ્ઞાન વસ્તુના એક અંશને ઈતર અંશેનાં અ૫લાપ કર્યા વિના જણાવે તે નથુત છે.
સ્વાભિત અંશને જણાવવાની સાથે ઈતર અને જે અપલાપ કરે તે દુનયશ્રત છે અને વસ્તુના સમગ્ર અંશેને જણાવે તે સ્યાદવાદમૃત છે.
આ જ વાત આપણે એક દષ્ટાંતથી સમજીએ
ધર્મના અનુક્રમે ચાર પ્રકાર છે: દાન, શીલ, તપ અને ભાવ. એ ચારમાંથી કઈ એકને જ ધર્મ તરીકે સ્થાપન કરે તે નયકૃત છે.
એકને ધર્મ તરીકે સ્થાપી બીજનાં ધર્મ સ્વરૂપને નિષેધ કરે છે દુર્નયકૃત છે અને ક્રમશ ચારેય (દાન, શીલ, તપ અને ભાવ)ને ધર્મ તરીકે વર્ણવવા તે સ્યાદવાદદ્ભુત છે.
વળી ધમને આરાધવા માટે અનુક્રમે ત્રણ ગુણોની અથવા ત્રણ તવેની આવશ્યક્તા રહે છે.
દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણ ગુણ છે. દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ ત છે. તેમાંના કેઈ એકને સ્વીકાર તે સુનય. તે નય સાથે બીજાને તિરસ્કાર તે દુર્નય. અને ત્રણેને સ્વીકાર તે સ્યાદ્વાદ.
જ્ઞાન એ મોક્ષનો માર્ગ છે, એ વાક્ય સાચું છે, પણ એ એક જ મોક્ષમાર્ગ છે” એમ કહેવું એ સાચું નથી, પરંતુ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે મળીને મોક્ષને માર્ગ બને છે.