________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૨ ) સાચું અને કયું નામ ખોટું ? આપણે પિતાના નામની પ્રસિદ્ધિ–કીતિ માટે જે કંઈ સારાં કામ કરીએ છીએ, તેટલાંજ પપકાર કૃય તેવી ખરાબ આશા વિના કરીએ, તે આત્માની ઉન્નતિ અપકાળમાં કરી શકીએ. અલક્ષ્ય એવો આત્મા તેનું વસ્તુતઃ વિચારીએ તે નામ નથી, આત્મા અનામી છે, શબ્દસંકેતથી જગને વ્યવહાર ચાલે છે. ઉત્તમપુરૂના નામસ્મરણથી ઉત્તમગુણની યાદી આવે છે, અને તેવા ગુણો પોતાના આત્મામાં પ્રગટે છે. માટે વ્યવહારમાં
માં પ્રભુનું નામ, ગુરૂનું નામ, મરણીય છે. પણ નામ જેનું પાડવામાં આવ્યું છે, તેથી વસ્તુ ન્યારી હોય છે તે વાત ભૂલવી જોઈતી નથી. નામ છે તે વાચક છે, અને વસ્તુ વાચ્ય છે, નામ અને વસ્તુને વાચક વાચ્ય સંબંધ છે; તીર્થનાં નામ તે તીર્થકર વ્યક્તિનું ભાન કરાવે છે, માટે તે વાચક છે, અને તીર્થંકર વ્યકિત વાચ્ય છે. તેમ આપણું અમુક નામ પાડ્યું તે વાચક છે, અને આપણી આકૃતિ તે વાચ્ય છે. નામ અને આપણી વ્યક્તિને એકાંતે અભેદ અધ્યાસ ધારણ કરી, આપણે અશુદ્ધ પરિણતિને સેવીએ છીએ અને તેથી અજ્ઞાનમાં જીવન ગાળીએ છીએ. અહંવૃત્તિ ઉત્પન્ન કરનાર અજ્ઞાનને પુત્ર અવિવેક છે. જગતુમાં પુરૂષ અને લલનાઓ દરેક આવી રીતે નામ, રૂપ, બ્રાત, માત, તાતમાં, અહંવૃત્તિથી ફસાયાં છે. જ્ઞાનીઓ અહંવૃત્તિનું પ્ર
For Private And Personal Use Only