________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪) લેપ થતું નથી, તેમ સગુરૂ ઉપાસના કરનાર અંતરાતમાઓને અહંવૃત્તિને લેપ થતું નથી. જેમ અગ્નિ સર્વને બાળી ભમ કરી દે છે. તેમ અંતરાત્મા જ્ઞાની કર્મને બાબી ભસ્મ કરી દે છે. શ્રી આષાઢાભૂતિ આચાર્ય કે જે વેશ્યાના સંગી હતા, તે પણ આત્મજ્ઞાન ભાવનાથી કેવલજ્ઞાન પામ્યા. શ્રી ભરતરાજા પણ આત્મજ્ઞાનથી મુક્તિ પામ્યા. શ્રી ગૌતમસ્વામી પણ આત્મ સ્વરૂપ ચિંતવનથી કેવળજ્ઞાન પામ્યા. આત્મસ્વરૂપના ઉપગમાં વર્ધી વિના અનેક કષ્ટ કિયાઓ, તપ જપ કરવાથી, પણ આત્મા શુદ્ધ થતો નથી. વીરલા પુરૂષો આત્મતત્ત્વની આરાધના કરે છે. કેટલાક પુરૂષે તે હું આત્મા છું કે જડ છું, તેનું પણ રવરૂપ સમજતા નથી. તેવા જીવોને જ્ઞાની સશુરૂ શરણ્ય છે. જ્ઞાની ગુરૂ વિના મોક્ષ માર્ગ રવરૂપ સમજાતું નથી. માટે ભવ્યજીવોએ જ્ઞાનીની ઉપાસના કરવી. પિતાલીશ આગમનું રહસ્ય સમજાવનાર પણ જ્ઞાની મુનિરાજ છે. માટે આ કાળમાં વિશેષતઃ ગુરૂની ઉપાસના કરવી. જેમ સૂર્ય ઉગતાં અંધકાર સ્વતઃ દુર થાય છે, તેમ જ્ઞાની ગુરૂની વાણી શ્રવણ કરતાં, અહંવૃત્તિ પલાયન કરી જાય છે. કઈ પુરૂષ ગુફાના અંધકારને નાશ કરવા તેને સામી તરવાર ચલાવે, યા બંદુક ફેડે, વા લાકડીઓ મારે, પણ તેથી જરા માત્ર નાશ થતો નથી પણ તેમાં નાનો સરખો દીપક લઈ
For Private And Personal Use Only