________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૫). કાર્યની ઉત્પત્તિ થઈ, એમ માનવું પડશે. અને એમ માનવું તે લોકવિરૂદ્ધ છે. પૂર્વોક્ત દૂષણથી એકાંત અનિત્ય આત્મા માનતાં હિંસાદિકની સિદ્ધિ થતી નથી. એકાંતનિત્ય અને એકાંતઅનિત્ય આમા માનતાં જે દૂષણો આવે છે તે સર્વ દૂષણને પરિહાર આત્માને નિત્યનિત્ય માનતાં થાય છે.
मौनीन्द्रे च प्रवचने, युज्यते सर्वमेव हि। નિત્યાત્રેિ ૮ દા, નિમિત્તે તથાકમાન.
અનાદિકાળથી સિદ્ધ એવા જીતેન્દ્ર પ્રવચનમાં, આત્મામાં નિત્યાનિત્યપણું તથા દેહથી આત્માનું કથંચિત્ ભિન્નપણું અને કથંચિત્ અભિન્નપણું આદિ સર્વ યુક્તિયુક્ત ઘટે છે.
આત્માને દ્રવ્યાકિનયની અપેક્ષાએ નિત્ય માનવાથી ત્રણે કાલમાં તેનું દ્રવ્યપણું એક સરખું રહે છે, તેથી જે જે કર્મ કરે છે, તે અન્યભવમાં જોગવી શકે છે. નિત્ય આત્મા દ્રવ્યથી માનતાં પ્રત્યેક ભવમાં તેની હયાતિ હોય છે, તેથી જાતિસ્મરણજ્ઞાનાદિકની પણ ઉપપત્તિ સમ્યકીત્યા ઘટે છે. આત્માને પર્યાયાથિકન્યની અપેક્ષાએ કથંચિત્ અને નિત્ય માનવાથી, દેહમાં આત્મા પરિણમે છે, અને કર્મ સાથે પણ પરિણમે છે, તથા અન્યભવમાં કૃતકનુસારે જુદા
For Private And Personal Use Only