________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૪ ) માને છે કે નથી માનતા. જે જીવોને કર્મ માનશે, તે કર્મથી રહીત થયેલા જીવ જે પરમાત્મા થયા છે, તેના કર્મસહીત જીવો સેવક, વા ધ્યાતા, વા પૂજક ગણાશે. અને જે અનાદિકાળથી જીવોને કર્મ લાગ્યાં નથી, અર્થાત્ કર્મરહિત જીવે છે એમ માનશો તો તમે અનાદિકાળથી પોતે પરમાત્મા હર્યા, તે શા માટે શાસ્ત્રાભ્યાસ, તપ, જપ, ધ્યાન, વિગેરે કરો છે? ધર્મકિયાની નિષ્ફળતા થશે, તથા વળી તમે અનાદિકાળથી શુદ્ધ બ્રહ્મરૂપ પોતાને માનો છો તો - રીર મન વાણીને શા કારણથી ધારણ કર્યો છે. શરીર ધારણ કરવાનું કારણ માયા માનશે, તે માયા બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન છે? જે માયાને બ્રહ્મથી ભિન્ન માનશે તે હિમાચલ, વિંધ્યાચલની પેઠે બે ભિન્ન રહેવાથી, માયાથી શરીર ધારણ કરાશે નહીં અને જે બ્રા અને માયાને અભિન્ન સંબંધ માનશો તો, માયાથી બ્રહ્મ ભિન થશે નહીં—અને તેથી સદાકાળ બ્રહ્મની સાથે માયા લાગવાથી શરીર રહિત બ્રહા થશે નહીં, તેથી અનાદિકાળથી હું શુદ્ધ બ્રહ્મરૂપ છું, એવું તમારું મન્તવ્ય અસિદ્ધ ઠર્યું–તથા વળી માયાના સંબંધથી બ્રહ્મ વિકારી માને છે, એમ કહેશતો યાદ્વાદીવીતરાગ મત તે પ્રમાણે માને છે, માટે શાફ્રાનમાં પ્રવેશ થવાથી ભેદભાવ રહેતું નથી, પણ બ્રહ્મને તે તમે વિકારી માનતા નથી. તેથી પ્રથમ પક્ષ
For Private And Personal Use Only