________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૫) ગ્રહી શકાશે નહીં. દ્વિતીય પક્ષ લેઈ બ્રહ્મને અવિકારી માનશે– શરીરાદિકની ઉત્પત્તિ થઈ શકશે નહી–અને શ
દિક પ્રત્યક્ષ દેખાય છે, માટે માયાના સંબંધથી બ્રહ્મમાં વિકાર થાય છે, તેમ માનવું જોઈએ-તથા વળી તમે બ્રહ્મને સર્વદેશવ્યાપક આકાશની પડે માનો છો કે એકદેશવ્યાપક શરીરાવ દેન માનો છે? તમે કહેશો કે, સર્વત્ર વ્યાપક બ્રહ્મને માનીએ છીએ, તે પુછવાનું કે, સવત્રનું જ્ઞાન થવાથી સર્વત્ર વ્યાપક બ્રહ્મને માને છે કે એક દેશના જ્ઞાનથી સર્વત્રવ્યાપક બ્રહ્મ માને છે? તથા વળી માયાના સંબંધથી જ્ઞાન હોય છે કે કેવળ શુદ્ધ બ્રહ્મમાં જ્ઞાન હોય છે; એ ચાર વિકલ્પમાંથી એક વિક૯પને ઉત્તર આપી શકશો નહીં. જુઓ, પ્રથમ વિકલ્પ લઈ તમે કહેશો કે, રાવંત્રનું જ્ઞાન થવાથી સર્વત્ર વ્યાપક બ્રહ્મને માનીએ છીએ, એ પણ અસત્ય છે, અહીં બેઠાં અમેરિકા ખંડને પણ જાણી શકતા નથી તે, સવ દેશને જાણ્યા વિના સર્વત્ર વ્યાપક બ્રહ્મ છે, એવું જ્ઞાન પણ થશે નહીં, અને સર્વત્ર દેશનું જ્ઞાન તે તમને નથી, તેથી સર્વત્રનું જ્ઞાન થયા વિના સર્વત્રવ્યાપક બ્રા છે, એવું તમારાથી કહી શકાશે નહીં--તમે કહેશે કે પૂર્વે મોટા મહાત્માઓ થઈ ગયા છે તે જાણતા હતા, તેથી અમે સર્વત્રવ્યાપક બ્રહ્મ માનીએ છીએ. આ પણ તમારું
For Private And Personal Use Only