Book Title: Atma Prakasha 1
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 515
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (કક્કો અને કૃષ્ણને પ્રભુ તરીકે માને છે ત્યારે જૈન દર્શન કહે છે કે શ્રી બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના કૃષ્ણ શ્રાવક હતા, અને તે સમકિતી હતા, અને તે આવતી ચોવીશીમાં તીર્થકર થવાના છે, તેથી તે ભવિષ્યકાળની અને પેક્ષાએ તીર્થકર થવાથી જૈને અપેક્ષાએ ભગવાન માને છે તેથી સત્ય કૃષ્ણને જૈન દર્શનમાં સમાવેશ થાય છે તેથી જેણે જૈન ધર્મ પાળે, તેણે કૃષ્ણનું આરાધન કર્યું કહેવાય છે. શકસ્તવ એટલે નમુઠુણુંમાં કહ્યું છે કે, जेअ अइया सिद्धा जेअ भविस्संति णागएकाले संपइय | वट्टमाणा सब्वे तिविहेण वंदामि ।। ભાવાર્થ-જે આત્માઓ ભૂતકાળમાં કર્મનો ક્ષય કરીને સિદ્ધ થયા, અને જે ભવિષ્ય કાળમાં કર્મનો ક્ષય કરીને મુક્તિ પદ પામશે, અને મહા વિદેહ ક્ષેત્રમાં હાલ વર્તમાન કાળે જે સિદ્ધ છે, તે સર્વને મન વચન અને કાયા વડે હું વાંદુ છું. આ સૂત્રના પાઠથી પણ ભવિષ્ય કાળમાં શ્રી કૃષ્ણ તીર્થંકર થઈને સિદ્ધ થશે, માટે શ્રી કૃષ્ણની ભવિષ્ય કાળમાં તીર્થંકરની અવરથા તથા સિદ્ધા વસ્થા થવાની છે, તે વાંદવા પૂજા એગ્ય છે. પદ્મનાભ તીર્થકરની પેઠે તેમની તે અવસ્થાની પ્રતિમા વર્તમાન કાળમાં પણ ભરાવીને માનવા પૂજવાથી ફાયદો થાય છે. માટે તે અપેક્ષાએ જૈન દર્શન. કણને ભગવાન માને છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546