________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) કાર્યમાં પાંચ કારણના સમવાયની જરૂર છે. આ પ્રમાણે શ્રી વીરપ્રભુના ઉપદેશથી અજ્ઞાન નષ્ટ થવાથી, પાંચવાદીઓ પણ જૈનદર્શનમાં ભળ્યા. આ પમાણે પ્રસંગોપાત વર્ણન કરી મૂળ વિષય ઉપર આવીને કહે છે કે, આત્માની પરમાત્મદશા પ્રાપ્તિ દ્રવ્ય, દેત્ર, કાળ, ભાવ પામીને બનશે. - લાદિક સામગ્રી પામતાં મોક્ષરૂપ સંપૂર્ણ કાર્યની સિદ્ધિ થશે. શ્રી આનંદઘનજી મહારાજ પણ અજીતનાથના સ્તવનમાં કહે છે કેकाल लब्धि लही पंथ नीहाळशंरे, ए आशा अविलंब ए जन जीवेरे जिनजी जाणजोरे, आनन्द घन मत अंबम्पन्थडो.
સાનુકૂળ સામગ્રીની સંપૂર્ણતાએ ક્ષાયિકભાવે મોક્ષની પ્રાપ્તિ થશે. કથની કથતાં, જે તત્ત્વની પ્રાપ્તિ ન થાય, તે કથનીથી પણ આત્મહિત નથી, માટે આત્મસ્વભાવમાં રમણતા કર, તેથી તું પરમાત્મપદ પામીશ. અન્તરમાં વર્તનાર ત્રણ ભુવનનાનાથ એવા આત્માનું ધ્યાન કરે, તેથી શાશ્વત સુખરૂપ એવા પામશે. રાજ્ય શાશ્વત પદ પામવા આત્મદેવનું આરાધન કરે. નિશ્ચયથી આભા જ દેવ છે, તથા આત્માજ ગુરૂ છે, અને નિશ્ચયથી જોતાં આત્મામાંજ ધર્મ છે. અને વ્યવહારથી પૂજ્ય અરિહંત દેવ, સુસાધુ ગુરૂં અને તીર્થકરે કહેલો ધર્મ જાણ. ગચ્છ ગચ્છની ભિન્નતા, તથા ગરછ ગચ્છની બાકિચામાં ફેર છે તેમાં એકાંત જે રાગી થઈ, સત્યતત્વ જોતા નથી,
For Private And Personal Use Only