Book Title: Atma Prakasha 1
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 535
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પર૬) ખણ પણ ઘી થવામાં કારણ છે. તેમજ વવનાર તથા ગોળ વિગેરે પણ ધૃતમાં નિમિત્ત કારણ છે. ઘીનું કારણ માખણ માને અને બીજું માને નહીં તે, દહી વિના માખણ બની શકનાર નથી. માટે દહી પણ ઘીનું કારણ માનવું જોઈએ. તથા દૂર કારણ ઘાસ, ગાય વિગેરે છે અને આસન્ન કારણ દહીં માખણ છે પણ આસન્ન કારણ દહી અને માખણ એ બે માને, અને બીજા માને નહીં, તે પણ ગ્ય નથી કારણ કે દહીનું કારણ દૂધ છે. દૂધવિના રહી થાય નહીં, માટે દૂધ પણ માનવું જોઈએ. દૂધ, દહીં, અને માખણ એ ત્રણવિના અન્ય ઘીનાં કારણ નથી એમ કહેવું પણ ગ્ય નથી–કારણ કે દૂધ પણ આંચળવિના નીકળે નહીં, માટે આંચળ પણ કારણ માનવું, અને ભેંસ તથા ગાય વિગેરે વિના આંચળ હોય નહીં, માટે ગાય વિગેરે પણ કારણ માનવાં જોઈએ. અને ગાય પણ ઘાસ વિગેરે ભયવિના દૂધ આપે નહીં, માટે તે પણુ કારણ માનવાં જોઈએ---એમ આસ સાપેક્ષષ્ટિથી સર્વે માનતા, ઘી (9ત)ની ઉત્પત્તિ બને છે. તેમ અત્ર પણ નામ વિગેરે સાતનયથી એક ધર્મરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. સાતનની સાપેક્ષતાએ ધર્મવસ્તુનું પૂર્ણ સ્વરૂપ સિદ્ધ થાય છે—માટે ભવ્યપુરૂષોએ સાતનોથી સત્યરવરૂપ સમજી હઠ કદાગ્રહ દૂર કરી જૈનદર્શનને સ્વીકાર કરે. કાળથી કાર્યની ઉત્પત્તિ કાલવાદી માને છે. તથા સ્વભાવવાદી સ્વ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546