Book Title: Atma Prakasha 1
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 536
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (પર૭ ) ભાવથી કાર્યની ઉત્પત્તિ એકાંતે રવીકારે છે–નિયતિવાદી નિયતિથી કાર્યસિદ્ધિ માને છે. કર્મવાદી કર્મથી એકાંત કાર્યની ઉત્પત્તિ માને છે અને ઉદ્યમવાદી એકાંત ઉદ્યમથી કાર્યસિદ્ધિ માને છે. એ પાંચ વાદીઓ એકેક કારણ માની અન્યને નિષેધ કરી પરસ્પર દ્વેષ કરે છે, તેઓ વાદ વિવાદ કરતા, શ્રી વિરપ્રભુની પાસે ન્યાય મેળવવા ગયા. ત્યારે શ્રી વિરપ્રભુએ કહ્યું કે પાંચ કારણો મળેથી, કાયની સિદ્ધિ થાય છે–જુએ એક મનુષ્ય ઉત્પત્તિ ઉપર ઘટાડીએ, ગર્ભ ધારણ કરવાને કાળ આવે છે, ત્યારે સ્ત્રી ગર્ભને ધારણ કરે છે. કંઈ બાલ્યાવરથામાં ગર્ભ ધારણ કરતી નથી. તેમજ મનુષ્યની ઉત્પત્તિ સ્ત્રીથી થાય છે. લીંબડાને લીબડી થાય છે, આંબાને કેરી થાય છે, ગધેડીથી ગધેડાં થાય છે. મનુષ્યત્પત્તિ રવભાવ સ્ત્રીમાં છે. માટે સ્વભાવ પણ કારણ છે. સ્ત્રીને ગર્ભ રહ્યો, પણ નિયતિ હોય તે જીવી શકે છે, નહીતે ગર્ભમાં પણ કેટલાક મરી જાય છે, માટે મનુષ્યત્પત્તિપ્રતિ નિયતિ પણ કારણ છે. તથા પૂર્વભવમાં મનુષ્ય ગતિ કર્મ બાંદયું ન હોત, તો મનુષ્યાવતાર આવત નહીં, માટે કર્મ પણ કારણ છે. તથા ગર્ભમાં જાહાર, માહાર, વિગેરે આહાર ગ્રહણ કરવાનો પ્રયત્ન રાખ્યું નહોત, તે વૃદ્ધિ પામત નહીં, માટે પુરૂષાર્થ પણ કારણ છે. એમ કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ પણ મનુષ્યપ્રતિ કારણ છે. એમ દરેક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546