________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(och))
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ કૃષ્ણે જગતને અનાખ્યું, તથા લીલાઓ કરી, તેને જૈન દર્શન રવીકારતું નથી. કૃષ્ણ સબંધી વિશેષ હકીકત જાણવી હાય તેા શ્રી નેમનાથનું ચરિત્ર વાંચવું. માટે એવી રીતે સાપેક્ષપણે કૃષ્ણના પણ જૈન દર્શનમાં સમાવેશ થાય છે. વૈષ્ણવ ધર્મી વિષ્ણુ ને સર્વવ્યાપક માને છે, અને કૃષ્ણને તેના અવતાર ગણે છે. હે ભવ્ય ! જૈન દર્શન આત્માને વિષ્ણુ કહે છે. જ્ઞાનેન સર્વત્ર પ્રાંત ાત વિષ્ણુ: જ્ઞાનથી સર્વત્ર આત્મા પ્રકાશ કરે છે, માટે આત્મા જ્ઞાનથી વ્યાપક ગણાય છે. અને તે આત્મામાં જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી સત્તાએ કેવલજ્ઞાન રહ્યું છે, અને તેવે વિષ્ણુરૂપ આત્મા કર્મ વડે અવતાર ધારણ કરે છે, તે પ્રમાણે કૃષ્ણને આત્મા સર્વ આત્માની પેઠે જ્ઞાનથી વિ
શુ છે, અને તે કર્મ વડે અવતાર ધારણ કરે છે. કર્મના નાશ થતાં, અવતાર ધારણ કરતા નથી. એમ વિષ્ણુનું સ્વરૂપ જૈન દર્શન સ્વીકારે છે, તેથી વિષ્ણુને સમાવેશ પણ જૈન દર્શનમાં થાય છે, પણ તે અપેક્ષા જેઆ નથી સમજતા, અને વિષ્ણુને માને છે, તે અજ્ઞાનથી ભૂલે છે. જે વિષ્ણુને જગત્કર્તા તરીકે સ્વીકારે છે, તે ભૂલ કરે છે. જો વિષ્ણુને કર્મ રહીત નિર્મલ પરમાત્મા સ્વીકારો, તે તેમના અવતાર થઇ શકે નહીં, કારણકે કર્મ સહિતના અવતાર થાય છે. તેમ સર્વત્ર વ્યાપક એવા
For Private And Personal Use Only