________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પાઇ) તે સદેહી અને આકાશની પેઠે સર્વત્ર વ્યાપક માનશો તે એ ઈશ્વર સર્વત્ર વ્યાપક હેવાથી, અને તે મૂર્તિમાન હવાથી, આંખે દેખાવો જોઈએ. દેખાતો તે નથી, માટે તે ઈશ્વર તમારાથી માની શકાય જ નહીં તથા સાકાર ઇશ્વર માનતાં રાગદ્વેષાદિકવાળે ઈશ્વર પૂર્વોક્ત યુતિ પ્રમાણે સિદ્ધ ઠરશે તથા તમે બીજે પક્ષ લેઈને કહેશે કે, ઈશ્વર નિરાકાર છે. તો કહેવાનું કે નિરાકાર એવા ઈશ્વરથી સાકારની ઉત્પત્તિ આકાશની પેઠે થઈ શકે નહીં. જે જે શરીરરૂપ આકારવાનું હોય છે, તે કુંભકાર જેમ ઘરને બનાવે છે, તેમ અન્ય વરતુ બનાવી શકે છે માટે નિરાકાર ઈશ્વર માનતાં ઇશ્વર જગકર્તા સિદ્ધ ડર નથી તથા વેદમાં પણ કહ્યું છે કે ન તજી પ્રતિમા ઈશ્વરને આકાર નથી. જેને તે સિદ્ધ પરમાત્મારૂપ જે ઇશ્વર છે તે નિરાકાર છે અને તે જગકર્તા નથી. પિતાના શુદ્ધ સ્વરૂપમાંજ આનંદ ભગવે છે એમ માને છે. તેથી તેવા ઈશ્વર માનતાં કોઈ જાતને દોષ સંભવ નથી. કેઈ પણ પ્રમાણથી ઈકવર જગતુ કત્તા સિદ્ધ કરતો નથી, તથા વળી પુછવાનું કે, જે જે કાર્ય ઉત્પન્ન થાય છે, તેનાં બે કારણો હોય છે. જેમ કુંભકાર ઘટ બનાવે છે તે ઘટ કૃતિકા (માટી) વિના બનતે નથી; માટે માટી તે ઘટનું ઉપાદાન કારણ છે, અને કુંભકાર, ચક, દંડ વિના માટીને ૫
For Private And Personal Use Only