________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૬) કહેવું વિચારશુન્ય છે. કારણકે, અનુભવથી તે વાત વિરૂદ્ધ છે—તમે કહો છે કે–પ્રથમ મોટા મહાત્માઓ થઈ ગયા, તે સર્વ દેશને જાણતા હતા તે તે શરીરના સંબંધ વડે સર્વ દેશને જાણતા હતા કે, શરીરના સંબંધ વિના? તમે કહેશો કે શરીરના સંબંધથી જાણતા હતા ત્યારે અમે પુછીએ છીએ કે શરીરના સંબંધ વડે શુદ્ધ બ્રહ્મથી જા... ણતા હતા કે-અશુદ્ધ બ્રહ્મથી ? તમે કહેશે કે શરીરના સંબંધ વડે શુદ્ધ બ્રહ્માથી સર્વ જાણે છે, ત્યારે પુછવાનું કે અનાદિ કાળથી શરીરના સંબંધ વડે શુદ્ધબ્રહ્મથી સર્વને કેમ નહોતા જાણતા ? તમે કહેશો કે પ્રથમ માયા નડતી હતીઅને માયાનો નાશ થાય છે ત્યારે સર્વને જાણે છે–ત્યારે બસ સિદ્ધ ઠર્યું કે, માયા કહે કે કર્મ કહે, તે જ્યાં સુધી નડે, ત્યાં સુધી સર્વ જ્ઞાન થતું નથી, એમ જૈન દશન માને છે. અને જ્યારે માયા વા કર્મને નાશ થાય છે, ત્યારે કેવળ જ્ઞાન થાય છે એમ અમારા મતને આશ્રય લેવાથી અનાદિ કાળથી બ્રહ્મ નિર્લેપ છે, અને માયા નડતી નથી, આ તમારે સિદ્ધાંત મુળથી ઉડી ગયે. તમે કહેશે. કે શરીર સંબંધ છુટયા બાદ શુદ્ધબ્રહ્મ સર્વ દેશને જાણે છે, તે સમજવું કે, શરીર સંબંધ છુટયાથી મુખ વિના. કોની આગળ સર્વત્રવ્યાપક બ્રહ્મ છે એમ કહી શકશો ! કારણ કે મુખ વિના શબ્દનું ઉચ્ચારણ થતું નથી. અને શ
For Private And Personal Use Only