________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) હવે આત્મા સપ્રદેશી છે તે કહ્યા બાદ એક અનેક કહે છે. છ દ્રવ્યમાં એક ધર્મસ્તિકાય, બીજો અધર્મસ્તિકાય, ત્રીજું આકાશાસ્તિકાય એ ત્રણ એકેક દ્રવ્ય છે. તથા જીવ પુગલ અને કાલ એ ત્રણ દ્રવ્ય અનેક છે. છ દ્રવ્યમાં આકાશદ્રવ્ય ક્ષેત્ર છે, અને બીજાં પાંચ દ્રવ્ય ક્ષેત્રી છે. વ્યવહારથી જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય સક્રિય છે, અને નિશ્ચયથી છએ દ્રવ્ય પિતા પિતાના કાર્યમાં સદા પ્રવર્તે છે; માટે સક્રિય છે. જીવદ્રવ્ય સંસારાવસ્થામાં સક્રિય છે. અને સિદ્ધ થતાં સંસારી કિયા કરતા નથી. માટે અકિય. બાકીના ચાર દ્રવ્યનો વ્યવહારથી અકિય છે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ છ દ્રવ્ય નિત્ય ધવ છે. અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ સમયે સમયે ઉત્પાદ વ્યય થવાથી અનિય છે, વ્યવહારનયથી જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય અનિય છે, અને બાકીનાં ચાર દ્રવ્ય અનિત્ય છે.
છ દ્રવ્યમાં એક જીવદ્રવ્ય અકારણ છે, અને પાંચ દ્રવ્ય કારણ છે. કારણ કે પંચ દ્રવ્ય પણ જીવન ભેગમાં આવે છે. જેમકે ધર્માસ્તિકાય જીવને ચાલવામાં સાહાસ્ય કરે છે. અધર્માસ્તિકાય સ્થિર રહેવામાં સહાધ્ય કરે છે. આકાશાસ્તિકાયદ્રવ્ય છે, તે જીવને અવકાશ લેવા રૂપ કાર્યમાં નિમિત્ત કારણરૂપ બને છે. પગલાસ્તિકાય છે તે જીવને પ. ચેન્દ્રિયન ભેગમાં શબ્દ,રૂપ, ગંધ, રસ અને સ્પર્શ તરીકે
For Private And Personal Use Only