________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૦ )
છે, તેા પણ મનુષ્યાને માર્ગ પુછવા પડે છે. ત્યારે મુક્તિનગરીના માર્ગમાં ચાલતાં, સદ્ ગુરૂરૂપ વળાવા વિના અભીટનગરે પહોંચી શકાય નહી. સાનિયાના ગ્રંથામાં તીવ્ર સૂક્ષ્મબુદ્ધિ વિના પ્રવેશ થતા નથી. અને સમજ્ઞાન તે વિના થતું નથી. દ્રવ્યાનુયોગના સૂક્ષ્મજ્ઞાન વિના શ્રદ્ધા તથા સમકિતની પ્રાપ્તિ થતી નથી. માટે સૂક્ષ્મ દ્રવ્યાનુયાગનું જ્ઞાન કરવા સદ્ ગુરૂની ઉપાસના કરવી. સદ્ગુરૂવિના તત્ત્વમાર્ગની ગમ પડતી નથી. પણ પચમકાળા સદ્ગુરૂની શ્રદ્ધા થવી દુર્લભ છે. ગુરૂના દોષબુદ્ધિથી દોષ દેખનારાઓને કાગડાના જેવી દ્રષ્ટિ હેાવાથી તેને તે સત્ય લાભ પ્રાપ્ત થતા નથી. કેટલાક કુળગુરૂની પેઠે સદ્ગુરૂને માનનારા પણ ગુરૂની શ્રદ્ધા યથાર્થ કરી શકતા નથી. અને નિદક કુપાત્ર જીવોના સહવાસથી, કેટલાકોને સત્યગુરૂની શ્રદ્ધા રહેતી નથી. કેટલાક તે ગુરૂના ઉપકારને જાણી શકતા નથી, તે તેને શ્રદ્ધા શી રીતે થઇ શકે ? કેટલાક તે ધેાળું તેટલુ દૂધ, એવી બુદ્ધિથી સત્યગુરૂ શરણ અંગીકાર કરી શકતા નથી. જેના માથે સદ્ ગુરૂ એક સાચા નથી, તે નગુરાએ ભવમાં ભટક્યા કરે છે—કેટલાક ભેાળા મૂર્ખ જાડી બુદ્ધિવાળા મનુષ્યા તા ગાડરીયા પ્રવાહની પેઠે ગુરૂ માન્યા કરે છે. કેટલાક તેા સ્વાર્થ હોય, ત્યાં સુધી ગુરૂ અને પશ્ચાત્ ખુરૂ કરવામાં ચુકતા નથી, દુનીયાની વિદ્યા;
For Private And Personal Use Only