________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૭) અને અનંત સુખ પરમાત્માનું છમાં જાય છે પણ પરમાત્માસ્વરૂપ ઠર્યા કારણ કે અનંત સુખ જેનામાં હોય છે, તે પરમાત્મા કહેવાય છે. તેથી સ્વામી સેવકભાવને જલાંજલિ મળે છે, વળી કહેવાનું કે મુખને છેડીને ગુણ અન્યત્ર જતા નથી, તે પરમાત્માનું અનંતસુખ જીમાં જઈ શકે નહીં, માટે પ્રથમ પક્ષ પણ તમારાથી માની શકાશ નહીં. બીજો પક્ષ અંગીકાર કરીને કહેશો કે, અનંત સુખ છે; તે પરમાત્માથી અભિન્ન છે, તો તે સુખ જેને કદી પ્રાપ્ત થનાર નથી. તેથી જ પરમાત્માની સેવા કરવાથી સુખી થશે નહીં તેથી પરમાત્માને સ્વામી માનવાથી જીને કંઈ લાભ નહીં મળવાથી, સ્વામી સેવકભાવ કલ્પ વ્યર્થ ઠરે છે. બીજો પક્ષ અંગીકાર કરીને તમે કહેશો કે, પરમાત્માના આત્મામાંથી અનંત સુખ પ્રકટાવે છે. ત્યારે અમો પૂછીએ છીએ કે, પરમાત્માએ પ્રથમથી જ જીવોના આત્મા માંથી કેમ પ્રગટાવ્યું નહિ. તમે કહેશો કે, જ્યારે પરમાત્મા નું ધ્યાન ધરે છે ત્યારે કર્મને ક્ષય થઈ જાય છે, તેથી તેમના આમામાંથી અનંતસુખ પ્રગટાવે છે, ત્યારે અમે પુછીશું કે જ્યાં સુધી અને કર્મ છે, અને પોતે પરમાત્માનું ધ્યાન કરતા નથી, ત્યાં સુધી પરમાત્મા ના આત્મામાંથી અનંત સુખ પ્રગટાવી શકતો નથી, તેનું કારણ શું છે? તમે કહેશો કે, કર્મ હોય ત્યાં સુધી પરમાત્મામાં જીવના આત્મા
For Private And Personal Use Only