________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૫) જીવો પણ વિનાશ કર્યો. તેથી જીવોનું ઉપાદાન કારણ ઈ. ધર પણ વિનાશી ઠરશે. અને તેથી સ્વામી સેવકભાવ મૂળમાંથી નાશ પામશે. માટે ઈશ્વરે જીને ઉત્પન્ન કર્યા એમતો માની શકાય જ નહીં. એમ માનવામાં અનેક દૂષણે પ્રાપ્ત થાય છે. અને કેઈપણ પ્રમાણથી તે વાત સિદ્ધ થતી નથી. તમે એમ કહેશો કે, ઈશ્વર જીવોને બનાવતો નથી, જ નિત્ય છે, અને પરમાત્મા પણ નિત્ય છે. ત્યારે અમે કહીશું કે, જીવોને કોઈએ ઉત્પન્ન કર્યા નથી, તેઓ જીવે સ્વતંત્ર કર્યા. તેથી પરમાત્મા સ્વામી અને જીવે સેવક છે, એમ કદાપિકાળે માની શકાય નહીં. તમો એમ કહેશો કે પરમાત્મામાં અનંત શક્તિ છે, અને જીવોમાં સ્વ૫શકિત તેથી તેમની આજ્ઞા માનવી જોઈએ ત્યારે અમે તમને પુછીએ છીએ કે, પરમાત્માને અનંત શક્તિવાળા તમે જે માને છે તે તમો જ્ઞાનથી માને છે કે અજ્ઞાનથી. તમે કહેશે કે અમે જ્ઞાનથી માનીએ છીએ, તે પુછવાનું કે, અપજ્ઞાનથી માને છે કે સંપુર્ણ જ્ઞાનથી માને છે! જે કહેશે કે અમે પરમાત્માને અનંતશક્તિવાળા અને ૯પજ્ઞાનથી માનીએ છીએ, તે તે પણ મિથ્યા છે-કારણ કે અલ્પજ્ઞાનથી અનંતશક્તિ પરમાત્માની જાણી શકાતી નથી. જુઓ તમે અ૯પજ્ઞાનથી ઉત્તર ધ્રુવની પેલી તરફ શું છે તે જાણી શક્તા નથી તે પરમાત્માની અનંતશક્તિ શી રીતે
For Private And Personal Use Only