________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૪) વને પરમાત્મ થવાદેતો નથી. પ્રથમ પક્ષ લેશે તે તે કમને નાશ કરવાથી પરમાત્મા થવામાં બાધ આવતો નથી. અને બીજો પક્ષ લઈ કહેશે કે ઈશ્વર જીવને પરમાત્મા થવા દેતે નથી, ત્યારે અમે પુછી એ છીએ કે, જીવને પરમાત્મા થવામાં ઈશ્વરને શું ગમતું નથી વા અદેખાઈ આવે છે ? બે પક્ષમાંથી એકને પણ ઉત્તર આપી શકાશે નહીં. તમે એમ કહેશે કે ઈશ્વર જીને બનાવે છે, તેથી જેમાં અલપશકિત મૂકે છે. ત્યારે કહેવાનું કે, એમ કહેવું પણ તમારું
ગ્ય નથી. કારણ કે ઈશ્વર જેને બનાવે છે, જીવનું ઉપાદાન કારણ કણ અને નિમિત્ત કારણ કેણ? જે જીવોનું ઉપાદાન કારણ ઈશ્વર કહેશે તે સર્વજી ઇશ્વરરૂપ બની ગયા છે ત્યારે સ્વામી સેવકભાવ બીલકુલ રહ્યા નહી. જેમ ઘટનું ઉપાદાન કારણ માટી છે તે માટીથી ભિન્ન ઘટ હતા નથી. માટી તેજ ઘટરૂપે બનેલી છે. તેથી ઘટ માટીથી અભિન્ન છે. તથા પટનું ઉપાદાન કારણ તંતુઓ છે તે પરથી અભિન્ન છે, તેમ જીવોનું ઉપાદાન કારણ ઈશ્વર પણ જીવથી અભિન્ન કર્યો. તેથી સર્વ જીવમય ઇશ્વર થયે. તેથી સર્વ પરમાત્મા કહેવાશે. વળી એવો નિયમ છે કે, જે વસ્તુ ઉત્પન્ન થાય છે, તે અનિત્ય કહેવાય છે. કાર્યપણથી, જેમ ઘટ ઉત્પન્ન થાય છે, તે તે અનિત્ય છે, એમ છે પણ ઉત્પન્ન થવાથી અનિત્ય ઠર્યા. અનિત્ય વસ્તુ નાશ પામે છે. તેમ
For Private And Personal Use Only