________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૬)
જાણી શકશે તે જરા આંખ મીચીને વિચારશે તો સમાજણમાં આવશે. બીજે પક્ષ અંગીકાર કરીને કહેશો કે, અમો સંપૂર્ણ જ્ઞાનથી અનંતશકિતવાળા પરમાત્માને જાણીએ છીએ ત્યારે બસ, સિદ્ધ કર્યું કે, તમે પણ સંપૂર્ણજ્ઞાનશકિતથી પરમાત્મા ઠર્યા, કારણ કે જેનામાં સંપૂર્ણ જ્ઞાનશકિત છે, તે જ પરમાત્મા છે ત્યારે તમારી માનેલે સ્વામી સેવકભાવ નષ્ટ થયે કદાચ તમે અજ્ઞાનથી અનંત શકિત વાળા ૫રમાત્માને માને છે એમ કહેશો તો તે પણ મનુષ્યના શીગડાની પેઠે અસત્ય કરે છે. કારણ કે, અજ્ઞાનથી સામાન્ય એક વસ્તુને પણ જાણી શકાતી નથી, તે અનંત શકિતવાળા પરમાત્માને શી રીતે જાણી શકાય; તમે એમ કહેશકે, પરમાત્માની સેવા કરતાં પરમાત્મા જેને અનંત સુખ આપે છે, ત્યારે અમે તમને પુછીએ છીએ કે; પરમાત્મા અનંત સુખ ને આપે છે તે પિતાનામાંથી અનંત સુખ કાઢીને આપે છે કે, જીના આત્મામાંથી અનંત સુખ પ્રગટ કરે છે–પ્રથમ પક્ષ અંગીકાર કરી તમો કહેશે કે, પરમાત્મા પોતાનામાંથી અનંત સુખ જીને આપે છે ત્યારે અમે પુછીએ છીએ કે, પરમાત્મામાં અનંત સુખ પરમાત્માથી ભિન્ન છે કે? તમે કહેશે કે, પરમાત્માનું અનંત સુખ પરમાત્માથીજ ભિન્ન છે, એ પણ અસત્ય છે, કારણ કે પરમાત્માનું સુખ કંઈ પરમાત્માથી ભિન નથી
For Private And Personal Use Only