________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૬) અને તેથી આત્મા ઉત્તમ દેવાદિક ગતિ પામે છે. જે તમારા હૃદયમાં કેઈની નિંદાની ભાવના થશે, હા અમુક વ્યભિચારી છે, અમુક ઢોંગી છે, અમુક કપટી છે, અમુક ચેર છે, એવી ભાવનાની પુરણા થશે, તે અલ્પ એવી ખરાબ ભાવનાના સંસ્કાર પડવાથી, વારંવાર તમારા હૃદયમાં ખરાબ ભાવનાના વિચારે ઉત્પન્ન થશે. જેમ કે મનુષ્યને અણુનું વ્યસન લાગે છે, તે તે છુટતું નથી, તેમ તમે પણ જે હૃદયમાં નારી ભાવનાના વિચાર કરશે, તે પછી તે નઠારા વિચારે તમને બનતા પ્રયત્ન છેડશે નહીં. તમારા આત્માને નકારી ભાવનાના વિચારોથી બચાવીને સારી ભાવનાના વિચારમાં મૂકવા, એ રાધાવેધ કરતાં પણ મેટું કામ છે. નઠારાં બીજ અને સારાં બીજ ઉગીને, સારા તેમજ નઠારાં ફળને આપે છે, તેમ તમારા હૃદયમાં ઉઠેલી નઠારી અગર સારી ભાવનાઓ નઠારા તેમજ સારા ફળને આપ્યા વિના રહેશે નહિ. હવે મૂળ વિષય ઉપર આવીને કહેવાનું કે, રોડ૬ ઈત્યાદિ શબ્દથી પોતાના આત્માને પરમાત્મરૂપ માન, અને પરમાત્મમય થવા ધ્યાન કરવું એ ઉત્તમોત્તમ ભાવના છે. અને એવી ઉત્તમત્તમ ભાવનાથી, પિતાનું ઉત્તમોત્તમ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, માટે તમારા આત્માને ઉત્તમ ભાવનાથી પરમાત્મ સ્વરૂપ માને છે, જેથી તમે પરમાત્મમય થાઓ. ખરેખર આત્મા પરમાત્મા છે. ધ્યાનસંધિ પણ આત્મા અને
For Private And Personal Use Only