________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧) ખસે છે, તે તે અંશે આત્મામાંથી જ્ઞાનશક્તિને પ્રકાશ પડે છે. જ્ઞાનશકિત આત્માના પ્રદેશને ત્યાગ કરી, અન્યત્ર જતી નથી. દરેકના આત્મામાં જ્ઞાન રહ્યું છે. કમરથ દષ્ટિથી તમે તમારા જ્ઞાનનું રૂપ દેખવા જશો તે દેખાશે નહીં. માટે જ્ઞાનને અરૂપી કહ્યું છે. તથા વળી વગધરસ સ્પર્શવાળી વસ્તુરૂપી હોય છે. જ્ઞાનમાં તેમાંનું કશું નથી, માટે જ્ઞાનને અરૂપી કહે છે. આમાની જ્ઞાનશક્તિ પદાર્થોની પાસે જઈ ને પ્રકાશ કરતી નથી. તેમ ય સર્વ પદાર્થ જ્ઞાનમાં આવીને પડતા નથી. ત્યારે જ્ઞાનશક્તિ પદાર્થને પ્રકાશ શી રીતે કરતી હશે? પ્રત્યુત્તરમાં સમજવાનું કે જ્ઞાનમાં એવા પ્રકારની શકિત છે કે લાખો ગાઉ દૂર રહેલા પદાર્થોનો પણ પોતાનામાં ત્યાં ગયા વિના ભાસ કરી શકે છે. ત્રણભુવનના પ્રત્યેક પદાર્થનું સૂમસ્વરૂપ જ્ઞાનશક્તિથી જાણી શકાય છે. આવી અનંતજ્ઞાનશકિત દરેકના આત્મામાં રહેલી છે. પણ જ્ઞાનાવરણને દૂર કરે, તે પૂર્વોક્ત જ્ઞાનશક્તિનો પ્રકાશ થાય. જ્ઞાનગુણુશક્તિને આધારભૂત મા આખા શરીરમાં વ્યાપી રહ્યો છે. તે જ આમા જ્ઞાનશકિતથી ઈન્દ્રિયેદ્વારા ભિન્ન ભિન્ન વિષયને જાણી શકે છે. આત્મા જ્યારે જ્ઞાનથી પિતાના સ્વરૂપનું ધ્યાન કરે છે, અને એકાગ્રચિત્તથી ધ્યાન કરતાં રિથરતા પામે છે. ત્યારે આત્માના પ્રદેશને લાગેલાં જ્ઞાનાવરણીયાદિ કર્મ ખરી જાય છે. અને તેને અંશે જ્ઞા
For Private And Personal Use Only