________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૩ )
રૂદ્ધિને વર આપે છે, ત્યારે આત્મા અખંડસુખને પાત્ર બને છે. વર આપનાર અને વરને ભોક્તા પણ આત્માજ છે. આવી દયાનદશાથી ઉત્થાન થતાં આત્માને બાહ્ય સં. બંધમાં રૂચિ થતી નથી. તેથી તે પાછો પોતાના અસંખ્યાત પ્રદેશરૂપ મૂળ સ્થાનમાં ધ્યાન દ્વારા બેસે છે. અને ત્યાં સત્યાનંદ ભાસવાથી બાહ્યવસ્તુમાં લેશમાત્ર પણ મમત્વભાવ રહેતો નથી. આવું શુદ્ધ આત્મિક ધ્યાન ધરતાં સકલ કર્મરહિત આત્મા પરમાત્માવાને પામે છે. અને સાદિ અનંતમ ભાંગે મુક્તિનાં સુખ ભોગવે છે. તે આત્મા ! ખરેખર તારૂં એજ સ્વરૂપ છે એજ તું એ હું, હું અને તું એવી ભાવના પણ શુદ્ધ આત્મા થતાં, નિશ્ચયથી રહેતી નથી. એમાંજ જન્મ છે એમાંજ લય હો એ હું, તું, તેનું વિસ્મરણ શુદ્ધદશામાં છે. શુદ્ધસ્વરૂપથી હું ભિન્ન નથી, એજ ઉપયોગ અન્તરમાં વર્તી એજ આનંદનિધિ, એજ સુખનિધિ, તમે પિતાના આત્માને પરમાત્મારૂપ માનીને તેનું સેવન કરો. અરે હું દીન છું. હું પામર છું, હું તે નિધન છું. હું તો ચાલાક છું. આવા શબ્દો તમારા આત્માને ઉદ્દેશી કહો છો, તેથી તમારામાં અજ્ઞાન સ્પષ્ટ જણાય છે. તમારા આત્માની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંતરૂદ્ધિ ભરી છે. તેમ છતાં કેમ તમે પિતાને ગરીબ માને છે? આત્માની સત્તા તે તમારી સિદ્ધાત્મા જેવી છે, અને
For Private And Personal Use Only