________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૯) તથા અચિત જલ વહેરાવ્યું. હવે શેઠ જગાઉની પ્રદક્ષિણા દેવા ગયા, ત્યાં સિદ્ધ શિલાના નજીક પર્વતના કેટમાં કઈ દયાની મુનિ હોય તે તેનાં દર્શન થાય એવી બુદ્ધિથી ગયા ત્યાં એક મુનિવર ધ્યાનમાં તલ્લીન દીઠા. જેની દષ્ટિ નાસિકાના અગ્ર ભાગ ઉપર રહી છે, પણ જગત્ના પદાર્થને દેખતી નથી. બાહ્યના પદાર્થોનું બલકુલ ભાન ભૂલી ગયા હોય, એવી જેની આકૃતિ હતી. અ૫ વસ્ત્ર વિના વિશેષ ઉપાધિ દેખાતી નહોતી. પદ્માસન વાળેલી શાંત, મૃતિ અલોકીક આનંદ ભગવતી હોય, એવો દેખતાં જ ભાસ થતો હતો. ધ્યાનની અડગ રિથતિ વેગેન્દ્રનાં લક્ષણ સૂચવતી હતી, આવી મુનિની સમાધિ સ્થિતિ જોઈને શેઠે વિચાર કર્યો કે, અહો ! આ કોઈ ચમત્કારી વિલક્ષણ યેગી જણાય છે. આવા મહાત્માઓને અનાદિકનું દાન કર્યું છેયતિ સર્વશાઓની સિદ્ધિ થાય. મુનિરાજ ધ્યાનમાં હતા
ત્યાં સુધી શેઠ ત્યાં બેઠા. કેયાન પૂર્ણ થતાં યોગેન્દ્ર મુનિએ શેઠ પ્રતિ દષ્ટિ કરી. શેઠે બે હાથ જોડી પંચાંગ પ્રણિપાત પૂર્વક વંદન કરી સુખશાતા પુછી, શેઠ વિનયથી ગેન્દ્રને કહેવા લાગ્યા કે, આપ જેવા સંત પુરૂષનો સમાગમ થયે. માટે મારા આત્માને ધન્ય માનું છું. શાસ્ત્રમાં કહ્યું છે કે –
साधून दर्शनं पुण्यं तीर्थभूना हि साधवः तीर्थः फलति कालेन सद्यः साधुसमागमः ॥१॥
For Private And Personal Use Only