________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૦ ). દષ્ટિ આપના સદુપદેશથી પ્રગટી, માટે આપને ઉપકાર માનું છું, પણ એક પ્રશ્ન કે, આ સંસારમાં મનુ જીનલય, ઉપાશ્રય, જેનશાળા, પૌષધશાળા, પુસ્તકલેખન; નવકારશી, સાધુ સાધવીને દાન કરે છે, તે મારી પેઠે આશાથીજ કરતાં હશે કે કેમ? ગિરાજે કહ્યું, હે ભવ્ય ! સર્વ મનુષે તારા જેવી આશાને ધરાવતાં હોય, એવો નિશ્ચય નથી. કેટલાક શ્રાવક શ્રાવકાઓ સગુરૂના સેવક હોય છે, તેમને તત્વાદિકના જ્ઞાનથી હેય, રેય, ઉપાદેય, બુદ્ધિ પ્રગટે છે. તેથી તે સમકિતને પામેલાં હોય છે. શ્રદ્ધાળુ શ્રાવક શ્રાવિકાઓ દાન, પુણ્ય, જીનાલયબંધન, આદિ વ્યવહારની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક પરમાત્મપદ (મોક્ષપદ) પ્રાપ્તિને માટે કરે છે. એમને માનપૂજા, ઈન્દ્રાસન આશા, અમર નામનાની બીલકુલ આશા હોતી નથી, તેથી તે દાન પુણ્યાદિક ક્રિયાઓથી પ્રાંતે મુક્તિને જ પામે છે. મોક્ષને ઉદ્દેશી તે સર્વ ક્રિયાઓ કરી નહીં, તેથી તું આશા ના પંઝામાં સપડાઈ દુ:ખ પામે. કેટલાંક અજ્ઞાન જને તારી પેઠે દેવલોકાદિની પદવી તથા કીતિને માટે દાન પુણ્ય, નવકાશીઓ કરીને, મેક્ષસુખ હારી જાય છે. દાનપુણ્ય, જીનાલયબંધન, વગેરે કિયા મહા ગુણકારી છે, તેમાં દોષ નથી. પણ તે કિયાઓ કરનારની બુદ્ધિભેદે ફળભેદ પ્રાપ્ત થાય ને મિત્રલિક આશારહિત જે જે વ્ય
For Private And Personal Use Only